AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી
Rakesh Tikait
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 4:09 PM
Share

ઉત્તર પ્રદેશમાં લખીમપુર હિંસા (Lakhimpur Khiri Violence) કેસમાં થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) 12 ઓક્ટોબર એટલે કે મંગળવારે લખીમપુર જશે.

રાકેશ ટિકૈત ઘટના સ્થળ તિકુનિયા ગામમાં યોજાનારી શોક સભામાં હાજરી આપશે. રાકેશ ટિકૈત તિકુનિયા પહોંચવા માટે નીકળી ગયા છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ખેડૂત નેતાઓ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ ન કરવા અંગે પણ મોટી જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેમના સાંસદની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સોમવારે કોર્ટ આશિષ મિશ્રાને પોલીસ કસ્ટડીમાં સોંપવા માંગતી પોલીસની અરજી પર સુનાવણી કરવાની છે.

‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’ બીજી તરફ, રવિવારે વિપક્ષી પાર્ટીઓએ લખીમપુરની ઘટનાને લઈને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગ ઉઠાવી હતી. રવિવારે વારાણસીમાં એક રેલીમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રાને બરતરફ કરવાની માગણી કરતા કહ્યું કે, ‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’. અમે ત્યા સુધી ચૂપ નહીં બેસીએ જ્યા સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. ભાજપના કાર્યકરોને લઈ જઈ રહેલા વાહનો દ્વારા કથિત રીતે ટક્કર માર્યા બાદ ખેડૂતો મૃત્યુ પામ્યા હતા, જેના પગલે આ વાહનોમાં રહેલા કેટલાક લોકોને ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત રીતે માર માર્યા હતા. જે બાદ પોલીસે શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની લખીમપુર ઘટના સંદર્ભે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">