AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર હુમલો કરનાર 4 આરોપીઓની ધરપકડ, અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની કરી રહ્યા હતા તૈયારી

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં ચંદ્રશેખરનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કસ્ટડીમાં ચાર લોકોની પૂછપરછ કરી હતી.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર હુમલો કરનાર 4 આરોપીઓની ધરપકડ, અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની કરી રહ્યા હતા તૈયારી
Bhim Army Chief - Chandrashekhar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:07 PM
Share

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ (Bhim Army Chief Chandrashekhar Azad) પર હુમલો કરનારા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી છે જેઓ અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા હુમલાખોરોમાં ત્રણ દેવબંદના રણખંડી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. સહારનપુરના SSP ડો. વિપિન તાડાનું કહેવું છે કે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ પર હુમલાના કેસમાં 4 આરોપીઓની હરિયાણાના અંબાલાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસ કસ્ટડીમાં હારનપુર લાવવામાં આવી રહ્યા છે.

વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં ચંદ્રશેખરનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કસ્ટડીમાં ચાર લોકોની પૂછપરછ કરી હતી.

હુમલામાં ચંદ્રશેખરના વાહનના કાચ તૂટી ગયા હતા

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જ્યારે પોતાની કારમાં દેવબંદથી દિલ્હીથી સહારનપુર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેઓ દેવબંદમાં તેમના એક સાથીદારને મળવાના હતા. આ દરમિયાન હુમલાખોરોએ આવીને ચંદ્રશેખરના વાહન પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ચંદ્રશેખરના વાહનના કાચ તૂટી ગયા હતા. આ સાથે વાહન પર ગોળીઓના નિશાન પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Uniform Civil Code: અભી નહીં તો કભી નહીં, યુનિફોર્મ સિવિલ કોડ પર મુખ્તાર અબ્બાસ નકવીની વિપક્ષને સલાહ

બદમાશોએ ચંદ્રશેખરની કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

ચંદ્રશેખર પર હુમલાનો આરોપી બુધવારે જે વાહનમાં આ ઘટનાને અંજામ આપવા આવ્યો હતો તે હરિયાણાનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ચંદ્રશેખર આઝાદની કાર પર લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ ચંદ્રશેખરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે ગોળી શરીરને સ્પર્શ્યા બાદ બહાર આવી હતી, જેના કારણે શરીર પર કોઈ ગંભીર ઘા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">