AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી આવી શકે છે ભારતની મુલાકાતે, PM મોદીએ હવે આ પ્રસંગ માટે આપ્યું આમંત્રણ

ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી એકવાર ભારતની મુલાકાત લઈ શકે છે. બાઈડનને G-20 સમિટ માટે ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી આ પ્રસંગ માટે મુખ્ય અતિથિ તરીકે બિડેનને આમંત્રણ આપ્યું છે. જોકે, બિડેન દ્વારા હજુ સુધી કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી આવી શકે છે ભારતની મુલાકાતે, PM મોદીએ હવે આ પ્રસંગ માટે આપ્યું આમંત્રણ
US President Joe Biden
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:01 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.

ગારસેટ્ટીએ કહ્યું કે, પીએમ મોદીએ 8 સપ્ટેમ્બરે દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન બિડેનને આ આમંત્રણ આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો ગારસેટ્ટીએ તેની પુષ્ટિ કરી ન હતી.

અમેરિકી રાજદૂતે શું કહ્યું?

એક કાર્યક્રમ દરમિયાન, યુએસ રાજદૂતને એવા અહેવાલો વિશે પૂછવામાં આવ્યું હતું કે શું ભારત ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ક્વોડ દેશોના નેતાઓને આમંત્રણ આપવાનું વિચારી રહ્યું છે. આ અંગે ગારસેટ્ટીએ કહ્યું કે, પીએમ મોદીએ જી-20 સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું છે.

જો બિડેન આમંત્રણ સ્વીકારે છે, તો તેઓ બરાક ઓબામા પછી બીજા યુએસ પ્રમુખ હશે જેઓ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. ઓબામાએ 2015માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડનની આ પ્રથમ ભારત મુલાકાત હતી, જેઓ હાલમાં જ જી20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

ભારત-અમેરિકાના ગાઢ સંબંધોની ચર્ચા આખી દુનિયામાં

ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી એકવાર ભારતની મુલાકાત લઈ શકે છે. બાઈડનને G-20 સમિટ માટે ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે બિડેનને આમંત્રણ આપ્યું છે. જોકે, બિડેન દ્વારા હજુ સુધી કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો નથી.

આ સંદર્ભે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ આજતકને માહિતી આપી છે. ગારસેટ્ટીએ કહ્યું કે નવી દિલ્હીમાં G20 સમિટના એક દિવસ પહેલા આયોજિત દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીનું આમંત્રણ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. તેઓ આગામી વર્ષોમાં વધુ મજબૂત સંબંધોને ઉત્તેજન આપવા આતુર છે. જ્યારે ગારસેટ્ટીને આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ક્વોડ નેતાઓની મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે આ માહિતી શેર કરી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">