AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંસાને લઈને બિહાર વિધાનસભામાં હંગામો, નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા, અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ

વિરોધ પક્ષના નેતાઓએ હિંસા અંગે પટનામાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા હતા. વિપક્ષના નેતાઓએ 'હિંદુઓ પર અત્યાચાર બંધ કરો' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એમ પણ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે.

હિંસાને લઈને બિહાર વિધાનસભામાં હંગામો, નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા, અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:36 PM
Share

બિહારના બિહારશરીફ અને સાસારામમાં રામનવમીના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે અત્યાર સુધીમાં સાસરામમાં 43 અને બિહાર શરીફમાં 140 લોકોની ધરપકડ કરી છે. હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે બંને શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું

આ દરમિયાન રામનવમી હિંસા પર આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય સુધાકર સિંહની વાત માનીએ તો અધિકારીઓની મિલીભગત વિના હિંસા અસંભવ છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું છે કે અમારી સરકારે હંમેશા રાજ્યમાં ભાઈચારો તોડવાના ભાજપના કોઈપણ પ્રયોગનો જડબાતોડ જવાબ આપ્યો છે.

વિરોધ પક્ષના નેતાઓએ હિંસા અંગે પટનામાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા હતા. વિપક્ષના નેતાઓએ ‘હિંદુઓ પર અત્યાચાર બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એમ પણ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. બિહારના સીએમ નીતિશ કુમાર પોતે આ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે દોષિતોને વહેલી તકે ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : Breaking News: CBI તપાસની માગ કરવા લોકો આંદોલન કરે છે, એજન્સી ન્યાયની બ્રાન્ડ છે: PM મોદી

નીતિશ કુમારે સરકારને હિંસા દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને એક્સ-ગ્રેશિયા તરીકે પાંચ લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. બિહાર શરીફના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભાંકરે કહ્યું છે કે હવે શહેરમાં સ્થિતિ સામાન્ય છે, કોઈ મોટી ઘટના બની નથી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. દુકાનો પણ ધીમે ધીમે ખુલી રહી છે.

લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમને ભ્રામક સમાચાર અને અફવાઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે સવારે સાસારામમાં બોમ્બ ધડાકાની ઘટના જોવા મળી હતી. જે બાદ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રશાસને સાસારામમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">