AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંસાને લઈને બિહાર વિધાનસભામાં હંગામો, નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા, અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ

વિરોધ પક્ષના નેતાઓએ હિંસા અંગે પટનામાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા હતા. વિપક્ષના નેતાઓએ 'હિંદુઓ પર અત્યાચાર બંધ કરો' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એમ પણ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે.

હિંસાને લઈને બિહાર વિધાનસભામાં હંગામો, નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા, અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:36 PM
Share

બિહારના બિહારશરીફ અને સાસારામમાં રામનવમીના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે અત્યાર સુધીમાં સાસરામમાં 43 અને બિહાર શરીફમાં 140 લોકોની ધરપકડ કરી છે. હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે બંને શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું

આ દરમિયાન રામનવમી હિંસા પર આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય સુધાકર સિંહની વાત માનીએ તો અધિકારીઓની મિલીભગત વિના હિંસા અસંભવ છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું છે કે અમારી સરકારે હંમેશા રાજ્યમાં ભાઈચારો તોડવાના ભાજપના કોઈપણ પ્રયોગનો જડબાતોડ જવાબ આપ્યો છે.

વિરોધ પક્ષના નેતાઓએ હિંસા અંગે પટનામાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન નેતાઓએ હાથમાં પોસ્ટર લીધા હતા. વિપક્ષના નેતાઓએ ‘હિંદુઓ પર અત્યાચાર બંધ કરો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. એમ પણ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. બિહારના સીએમ નીતિશ કુમાર પોતે આ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે દોષિતોને વહેલી તકે ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : Breaking News: CBI તપાસની માગ કરવા લોકો આંદોલન કરે છે, એજન્સી ન્યાયની બ્રાન્ડ છે: PM મોદી

નીતિશ કુમારે સરકારને હિંસા દરમિયાન માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને એક્સ-ગ્રેશિયા તરીકે પાંચ લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. બિહાર શરીફના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભાંકરે કહ્યું છે કે હવે શહેરમાં સ્થિતિ સામાન્ય છે, કોઈ મોટી ઘટના બની નથી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. દુકાનો પણ ધીમે ધીમે ખુલી રહી છે.

લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમને ભ્રામક સમાચાર અને અફવાઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે સવારે સાસારામમાં બોમ્બ ધડાકાની ઘટના જોવા મળી હતી. જે બાદ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રશાસને સાસારામમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">