CM Yogi Delhi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથે કરી મુલાકાત, યુપીમાં નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પર કરી ચર્ચા

યુપીના કાર્યવાહક મુખ્યપ્રધાન દિલ્હીમાં એક પછી એક ભાજપના ટોચના નેતૃત્વને મળી રહ્યા છે. બીએસ સંતોષ બાદ તેઓ વેંકૈયા નાયડુ અને હવે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

CM Yogi Delhi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથે કરી મુલાકાત, યુપીમાં નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પર કરી ચર્ચા
Before taking oath as CM in UP, Yogi Adityanath met PM Narendra Modi. (Photo-ANI)Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:40 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)  કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi) આજે દિલ્હીના પ્રવાસે છે. યુપી જીત્યા બાદ તેઓ પહેલીવાર પાર્ટીના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા છે. યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને મળ્યા. કાર્યવાહક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા 7-લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષને મળ્યા હતા. યુપીમાં સરકારની રચના (UP Government) પર વિચાર મંથન કરવા માટે કાર્યવાહક સીએમ યોગી આજે દિલ્હી પહોંચ્યા છે. યુપીમાં વિજય બાદ તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન બંને વચ્ચે સરકાર રચવા અંગે વાતચીત થઈ હતી. આ દરમિયાન કાર્યવાહક સીએમ યોગીની કેબિનેટની રચનાની સાથે શપથ ગ્રહણ પર પણ ચર્ચા થઈ હતી. બપોરે એક વાગ્યે કાર્યવાહક સીએમ યોગી સંગઠન મહાસચિવ બીએલ સંતોષને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

યુપીના કાર્યવાહક મુખ્યપ્રધાન દિલ્હીમાં એક પછી એક ભાજપના ટોચના નેતૃત્વને મળી રહ્યા છે. બીએસ સંતોષ બાદ તેઓ વેંકૈયા નાયડુ અને હવે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ પછી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજનાથ સિંહ સહિત અન્ય ઘણા મોટા નેતાઓને મળશે.

યુપીમાં સરકારની રચના પર ચર્ચા

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 273 સીટો પર જીત મેળવી છે. આ પછી રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સમાચાર અનુસાર, કાર્યવાહક સીએમ યોગી હોળી પછી શપથ લઈ શકે છે. આ પહેલા તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. સમાચાર મુજબ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન કાર્યવાહક સીએમ યોગીએ યુપીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન શપથગ્રહણની તારીખને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

‘ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન’

પીએમ નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કાર્યવાહક સીએમ યોગી સાથે મુલાકાતની માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં પીએમએ લખ્યું છે કે યોગી આદિત્યનાથજી સાથે મુલાકાત થઈ. આ સાથે પીએમએ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી છે. પીએમએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઊંચાઈઓ પર લઈ જશે.

આ પણ વાંચો :  પંજાબ બાદ હિમાચલ પ્રદેશમાં AAPની એન્ટ્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- અહીં તેમના માટે કંઈ નથી

Latest News Updates

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">