1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

UP ATS ને મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે લોકોની ધરપકડ કરી છે. અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત
ધર્મપરિવર્તનના આરોપમાં 2 લોકોની ધરપકડ
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 2:53 PM

જબરદસ્તી ધર્મપરિવર્તન (Forced Conversion)ની ઘટનામાં ઉત્તરપ્રદેશ એટીએસને (UP ATS) મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં લોકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું. આ કેસમાં લખનૌથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર કાઝમી દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.

એડીજી લો એન્ડ ઓર્ડરએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 2 જૂને બંને આરોપીઓની ડાસનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે. પકડાયેલા ઉમર ગૌતમે પોતે પણ હિન્દુથી મુસ્લિમમાં પરિવર્તન કરેલું છે. અહેવાલ અનુસાર આ વ્યક્તિ હવે રૂપાંતર માટેનું અભિયાન ચલાવે છે.

ઉમરે અને તેના સાથી જહાંગીર સાથે મળીને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લઈને લોકોને કન્વર્ટ કરાવતા હતા. અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ISI પાસેથી પૈસા મળતું હતું ફંડ

આ લોકોએ મથુરા, વારાણસી સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ધર્મ પરિવર્તન અભિયાન ચલાવતા હતા. તેમણે પોતે અનેક મૂક-બધિર મહિલાઓના ધર્મ બદલીને લગ્ન કરાવ્યાની વાત કબુલ કરી છે. ઉમર અને જહાંગિરે નોઇડાની મૂક-બધીર શાળાના દોઢ ડઝન બાળકોના પણ ધર્માંતરણ કરાવ્યા છે. લખનૌમાં આ બંને સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

1000 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

આ FIR માં આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ શામેલ છે. આ સેન્ટર દિલ્લીના જામિયા નગર C2 જોગાબાઈ એક્સ્ટેન્શનમાં આવેલ છે. આ સેન્ટરની વાત કરીએ તો તેમાં 2 વર્ષથી જબરદસ્તી ધર્માંતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ વર્ષમાં 250 થી 300 લોકોનું ધર્મપરિવર્તન એક વર્ષમાં કરાવે છે.

ગાઝિયાબાદમાં નોંધાયેલા કેસની તપાસ બાદ ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેટવર્ક લાંબા સમયથી એટીએસના રડાર પર હતું. પકડાયેલા બંને આરોપીઓની પુછપરછ કરીને પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">