AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

UP ATS ને મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે લોકોની ધરપકડ કરી છે. અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત
ધર્મપરિવર્તનના આરોપમાં 2 લોકોની ધરપકડ
| Updated on: Jun 21, 2021 | 2:53 PM
Share

જબરદસ્તી ધર્મપરિવર્તન (Forced Conversion)ની ઘટનામાં ઉત્તરપ્રદેશ એટીએસને (UP ATS) મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં લોકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું. આ કેસમાં લખનૌથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર કાઝમી દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.

એડીજી લો એન્ડ ઓર્ડરએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 2 જૂને બંને આરોપીઓની ડાસનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે. પકડાયેલા ઉમર ગૌતમે પોતે પણ હિન્દુથી મુસ્લિમમાં પરિવર્તન કરેલું છે. અહેવાલ અનુસાર આ વ્યક્તિ હવે રૂપાંતર માટેનું અભિયાન ચલાવે છે.

ઉમરે અને તેના સાથી જહાંગીર સાથે મળીને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લઈને લોકોને કન્વર્ટ કરાવતા હતા. અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે.

ISI પાસેથી પૈસા મળતું હતું ફંડ

આ લોકોએ મથુરા, વારાણસી સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ધર્મ પરિવર્તન અભિયાન ચલાવતા હતા. તેમણે પોતે અનેક મૂક-બધિર મહિલાઓના ધર્મ બદલીને લગ્ન કરાવ્યાની વાત કબુલ કરી છે. ઉમર અને જહાંગિરે નોઇડાની મૂક-બધીર શાળાના દોઢ ડઝન બાળકોના પણ ધર્માંતરણ કરાવ્યા છે. લખનૌમાં આ બંને સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

1000 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

આ FIR માં આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ શામેલ છે. આ સેન્ટર દિલ્લીના જામિયા નગર C2 જોગાબાઈ એક્સ્ટેન્શનમાં આવેલ છે. આ સેન્ટરની વાત કરીએ તો તેમાં 2 વર્ષથી જબરદસ્તી ધર્માંતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ વર્ષમાં 250 થી 300 લોકોનું ધર્મપરિવર્તન એક વર્ષમાં કરાવે છે.

ગાઝિયાબાદમાં નોંધાયેલા કેસની તપાસ બાદ ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેટવર્ક લાંબા સમયથી એટીએસના રડાર પર હતું. પકડાયેલા બંને આરોપીઓની પુછપરછ કરીને પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

Follow Us
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
g clip-path="url(#clip0_868_265)">