Smriti Irani Corona Positive: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. તેમને પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

Smriti Irani Corona Positive: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી
Union Minister Smriti Irani Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 10:38 PM

દેશમાં ધીરેધીરે કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. તેમને પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ કે રાજેન્દ્ર નગરમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ ના થવા માટે હું ત્યાંના નાગરિકોની માફી માંગુ છું, કારણ કે હું કોરોનાથી સંક્રમિત થઈ છું. હું રાજેન્દ્ર નગરના લોકોને રાજેશ ભાટિયાજીને વોટ આપવા અને દિલ્હી ભાજપને જીતાડવાની અપીલ કરૂ છું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

તમને જણાવી દઈએ કે દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભામાં પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થવાનું છે. જ્યાં ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં એક ચૂંટણી સભામાં સામેલ થવના હતા પણ તે કોરોના પોઝિટીવ આવતા સામેલ ના થઈ શક્યા.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સમયે તેમને ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હું કોરોનાથી સંક્રમિત થઈ છું અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને વિનંતી કરૂ છું કે તે પોતાનો ટેસ્ટ જરૂર કરાવે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ સામે આવ્યા

એક જ દિવસમાં દેશમાં કોરોના વાયરસના 12,899 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 15 દર્દીઓના મોત પણ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર નવા કેસોના આગમન પછી, કુલ સક્રિય કેસ વધીને 72,474 થઈ ગયા છે. આ સાથે 8,518 રિકવરી પણ નોંધાઈ છે. શનિવારે, રાજધાની દિલ્હીમાં 1,534 નવા કેસ નોંધાયા હતા અને વાયરસને કારણે ત્રણ મૃત્યુ થયા હતા. અહીં સકારાત્મકતા દર 7.71 ટકા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં પણ 5119 સક્રિય કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1255 લોકો સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં પણ કોરોનાના 1,530 નવા કેસ, પોઝીટીવિટી રેટ 8.41 ટકા

મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં પણ રવિવારે કોરોનાના 1,530 નવા કેસ સામે આવ્યા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 5,542 સક્રિય દર્દીઓ છે. હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવ રેટ 8.41 ટકા છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">