AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે

જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે પણ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવો એ ખતરનાક પ્રથાની શરૂઆત છે.

Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે. (ફોટોઃ ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 11:43 PM
Share

શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનના (Aryan Khan) મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai cruise drugs case) એનસીબી સામે એનસીપીનો વિવાદ વધી રહ્યો છે. NCP નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે NCBએ નકલી દરોડા પાડીને આર્યન ખાનને ફસાવ્યો છે.

ક્રૂઝમાંથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. NCB કચેરીમાં ડ્રગ્સની રિકવરી બતાવવામાં આવી છે. તેમજ NCB દ્વારા 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 3 લોકોને ભાજપના દબાણ હેઠળ છોડી દેવામાં આવ્યા હતા. એટલે કે એનસીબી રાજકીય પક્ષના ઈશારે કામ કરી રહી છે. NCBએ પણ નવાબ મલિકને જોરદાર જવાબ આપ્યો છે. આ વધી રહેલા વિવાદ પર શનિવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ (Ramdas Athawale)  પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

મહારાષ્ટ્રના કરાડમાં પત્રકારો સાથે વાત કરતા રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ દ્વારા રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં શરદ પવારના પરિવારને અથવા અન્ય કોઈને હેરાન કરવાનો કોઈ હેતુ નથી. આ એજન્સીઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમની ક્રિયાઓમાં કેન્દ્ર સરકારની દખલગીરીનો કોઈ પ્રશ્ન ઉભો નથી.

NCB અને NCPની લડાઈમાં નોકરી જશે કે મંત્રીપદ, આખરે ક્યાં સુધી છે આની હદ

આગળ, રામદાસ આઠવલેએ આ અંગે પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, આ સમગ્ર મામલામાં NCB અધિકારી સમીર વાનખેડેની નોકરી જશે કે એનસીપીમાંથી રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકનું મંત્રીપદ  જશે, આ બાબત જોવાની હશે.

રામદાસ આઠવલે ઉલ્લેખ કરી રહ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં બોલીવુડમાં મોટી માત્રામાં ડ્રગ્સ ફરતું હોવાની ચર્ચા હતી. આર્યન ખાન વિરુદ્ધ કાર્યવાહીના મામલે પણ કોઈ પક્ષપાત કરવામાં આવ્યો નથી. તેમની સામે પુરાવા છે, ત્યારે જ કોર્ટ તેમને જામીન આપી રહી નથી. જો ED, CBI, NCBના દરોડામાં કોઈ દોષિત સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. રામદાસ આઠવલેએ આ અંગે સ્પષ્ટતા કરી હતી.

બીજી બાજુ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવો એ ખતરનાક પ્રથાની શરૂઆત છે. પરંતુ તેમણે તપાસ એજન્સીઓના અધિકારીઓને પણ સલાહ આપતા કહ્યું કે તેઓ પણ પોતાની ફરજ પર ધ્યાન આપે. એટલે કે ‘ચમકોગીરી’ થી બચવું જોઈએ.

આ પણ વાંચો :  Ananya Pandey & Aryan Khan: આર્યનખાનને ડ્રગ્સ પહોંચાડનારની જાણકારી મળી, અનન્યા પાંડેની ટીપ પર સોમવારે પુછપરછ

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">