AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા

Tral Encounter : સુરક્ષા જવાનોની ગોળીઓથી બચવા માટે કાશ્મિરના આતંકવાદીઓ ધાર્મિક સ્થળમાં ભરાઈ જાય છે. અને જ્યારે સુરક્ષા બળ આવા આતંકવાદીઓને ગોતી ગોતીને સાફ કરે ત્યારે સ્થાનિક અલગાવવાદીઓ લોકોની ધાર્મિક ભાવનાને ભડકાવીને અશાંતિ ફેલાવે છે.

કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા
પ્રતિકાત્મક તસવીર
| Updated on: Apr 09, 2021 | 1:12 PM
Share

કાશ્મિરમાં સુરક્ષા બળને મોટી સફળતા સાંપડી છે. અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ (Tral Encounter) સાથે થયેલ જૂથ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે જૂથ અથડામણમાં ત્રણ સૈન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા તેમને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા ફરજ પરના તબીબે એક સૈન્ય જવાનની હાલત ગંભીર ગણાવી છે.

આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે. જ્યાથી સુરક્ષા જવાનો ઉપર સતત ગોળીબાર કરી રહ્યાં છે. જો કે સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ધેરી લીધો છે. અને ધાર્મિક સ્થળમાંથી ગોળી વરસાવી રહેલા આતંકીઓને શરણે આવવા માટે મોકો આપ્યો છે.

ગુપ્તચર એજન્સીઓએ ત્રાલના નૌબુગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી આપી હતી. જેના આધારે કાશ્મિર પોલીસ અને સૈન્યે આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. જો કે આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે.

સુરક્ષા જવાનોએ, સ્થાનિક લોકોની મદદથી ધાર્મિક સ્થળમાં ભરાઈ બેઠેલા આતંકવાદીઓને શરણે આવવા સમજાવી રહ્યાં છે. એક આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામને ધાર્મિક સ્થળની અંદર આતંકવાદીઓને સમજાવવા મોકલ્યા છે. પરંતુ આતંકવાદીઓ શરણે આવવા માંગતા નથી.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી જ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવી હતી. વળતા જવાબરૂપે સુરક્ષા બળોએ કરેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયાની વાત સામે આવી છે. ધાર્મિક સ્થળની અંદર કેટલા આતંકવાદીઓ છે તેની જાણ નથી પણ આત્મસમર્પણ માટે અંદર ગયેલા આતંકવાદીના ભાઈ અને ઈમામને પુછપરછ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી એકાએક શરૂ કરેલા આડેઘડ ગોળીબારમાં ત્રણ સૈન્ય જવાનોને ઈજા પહોચી છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે આતંકવાદીઓને ઠાર મારવા સુરક્ષા જવાનોએ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

કાશ્મિરથી આધારભૂત સૂત્રના જણાવ્યાનુસાર, આજે જુમ્મા ( શુક્રવારે)ના દિવસે કાશ્મિરમાં બે અલગ અલગ જગ્યાએ સુરક્ષા બળોએ એન્કાઉન્ટર કર્યા હતા. જેમાં અન્સાર ગઝવાતુલ હિન્દ (Ansaar Gazwatul hind) નામના પ્રતિબંધિત સંગઠનના ટોચના આતંકીને ઠાર માર્યો છે. બે એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને મારી નાખ્યા છે. જો ત્રાલમાં આત્મ સમર્પણ કરવા માટે આતંદવાદીઓ તૈયાર નહી થાય તો અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે સુરક્ષાબળ, ધાર્મિકસ્થળને ઉડાવી દેશે.

અવંતિપુરાના ત્રાલમાં સ્થાનિક લોકો ધાર્મિકસ્થળની અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓને ધાર્મિક સ્થળ બચાવવા માટે સુરક્ષા બળની શરણે આવી જવા સમજાવી રહ્યાં છે.

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">