દેશમાં ઓમિક્રોનની દસ્તક, કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા, જાણો ક્યા દેશમાં કેટલા કેસ સામે આવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આજે ગુરુવારે જાણકારી આપી છે કે, દેશમાં ઓમીક્રૉન વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. જેમાં આ સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે.

દેશમાં ઓમિક્રોનની દસ્તક, કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા, જાણો ક્યા દેશમાં કેટલા કેસ સામે આવ્યા
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 6:30 PM

Omicron Variant : કોરોના વાયરસનું ખૂબ જ ખતરનાક વેરિઅન્ટ ગણાતા ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron Variant)  ભારતમાં દસ્તક આપી છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ (Two confirmed Omicron cases) નોંધાયા છે. આ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ બંને કેસ મોડી રાત્રે નોંધાયા હતા.

દેશમાં ઓમિક્રોનના કેસો વિશે માહિતી આપતાં, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. જે 2 દર્દીઓમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે તેમાંથી એક 66 વર્ષનો પુરુષ છે જ્યારે બીજો 46 વર્ષનો પુરુષ છે. તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે બે કેસ નોંધાયા છે તેમાં એક ભારતીય છે અને એક NRI છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અત્યાર સુધીમાં 29 દેશમાં 373 ઓમિક્રોન કેસ: આરોગ્ય મંત્રાલય

ભારત સહિત જો ગણવામાં આવે તો 30 દેશમાં 375 ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે.

કોરોના વાયરસના ખૂબ જ ખતરનાક વેરિઅન્ટ ગણાતા ઓમિક્રોન ભારતમાં દસ્તક દીધી છે. ગુરુવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં ઓમિક્રોનના કેસો વિશે માહિતી આપતાં, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે બંને સંક્રમિતોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.

ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે આ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોનના 373 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા 5 ગણું વધુ ખતરનાક છે અને તે ઝડપથી ફેલાઈ જવાની આશંકા છે. તેમણે કહ્યું કે તે 29 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વેરિઅન્ટ ઓફ કંસર્નની શ્રેણીમાં મૂક્યો છે.

ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાપિત 37 પ્રયોગશાળાઓના INSACOG કન્સોર્ટિયમના જીનોમ સિક્વન્સિંગ પ્રયાસ દ્વારા કર્ણાટકમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃતિ ખૂબ જરૂરી છે. કોરોનાથી બચવા માટે કોવિડ યોગ્ય વર્તન જરૂરી છે.

મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે છેલ્લા એક મહિનાથી દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. હવે બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ કેસ સક્રિય છે, જે દેશના કુલ કેસના 55 ટકા છે. 49 ટકા વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા બાદ આ કોવિડ કેસોમાં આ ઘટાડો જોવા મળ્યો છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">