કોંગ્રેસ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ Tv9 ભારતવર્ષમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે મોદી સરકાર પર ભારે હુમલો કર્યો હતો. ગરીબોને ન્યાય યોજના પર વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં Pop-up ની જેમ સામે આવશે અને દેશમાં સરકાર બનાવશે. 2024માં ફરી સત્તા બનાવશે. આ યોજના પર વિદેશના અર્થશાસ્ત્રીઓએ પણ વિશ્વાસ […]
કોંગ્રેસ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ Tv9 ભારતવર્ષમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે મોદી સરકાર પર ભારે હુમલો કર્યો હતો. ગરીબોને ન્યાય યોજના પર વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં Pop-up ની જેમ સામે આવશે અને દેશમાં સરકાર બનાવશે. 2024માં ફરી સત્તા બનાવશે. આ યોજના પર વિદેશના અર્થશાસ્ત્રીઓએ પણ વિશ્વાસ રાખ્યો છે.
I don't know how many seats we will get but they (BJP) will win only 150 seats: Congress leader @KapilSibal answers question of congress' victory in LS polls at the launch of TV9's Hindi news channel '#TV9Bharatvarsh' https://t.co/foQAVzSWP4
કપિલ સિબ્બલે કહ્યું કે, અમે જ્યારે જ્યારે કામ કર્યું છે. ત્યારે અમે કોઈ પણ નિવેદનો આપ્યું નથી. બાલાકોટ સ્ટ્રાઈક પર ભાજપ સૌથી વધુ નિવેદન આપી રહ્યા છે. જ્યારે દેશના શહીદોના પરિવાર પુરવા માંગી રહ્યા છે. જેના પર નિવેદન આપીને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું તો એવું કહું છું કે, 200-300 નહીં પણ 700 આતંકવાદી મારવા જોઇએ, સબ્બિલે કર્યો ભાજપ પર સીધો પ્રહાર.
2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરર્ફોમન્સ અંગે વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આજે દેશની જનતા કોંગ્રેસને સમજી રહી છે. કોંગ્રેસને તમામ સ્થાનો પર બેઠકો મળશે. ભાજપને 150 થી વધુ બેઠકો મળશે પણ નહીં તેવી વાત તેમણે કહ્યું છે. આ ઉપરાંત તેમને દેશમાં ચૂંટણી સમયે બેરોજગારી, ગરીબી જેવા મુદ્દા હોવા જોઇએ જેના બદલે લોકો રાહુલ ગાંધીના ધર્મ અંગે સવાલ કરી રહ્યા છે જે યોગ્ય નથી.
પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસને શું ફાયદો થશે તેના પર સિબ્બલે કહ્યું કે, તેમના રાજનીતિમાં પ્રવેશથી પક્ષને ચોક્કસ ફાયદો થશે. અને આ કોઈ વંશવાદ નથી. તેમજ તેમણે સૌથી મોટો વંશવાદ આરએસએસમાં ચાલી રહ્યો છે તેમ કહ્યું છે.