AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme: રોકાણ કરવા માંગો છો? તો આ 10 સરકારી યોજનાઓ જેમાં મળશે વધુ નફો, જાણો અહીં તમામ યોજનાના વ્યાજ દર

Top 10 Govt Schemes: સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ સરકારી યોજનાઓમાં, તમને ખૂબ સારા વ્યાજની સાથે ટેક્સ કપાતનો લાભ મળે છે. ચાલો જાણીએ 10 સરકારી યોજનાઓના વ્યાજ દરો વિશે. 

Govt Scheme: રોકાણ કરવા માંગો છો? તો આ 10 સરકારી યોજનાઓ જેમાં મળશે વધુ નફો, જાણો અહીં તમામ યોજનાના વ્યાજ દર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 6:48 PM
Share

જો તમે પણ વિવિધ ક્ષેત્રે રોકાણ કરવાને બદલે કોઈ સરકારી યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી 10 યોજનાઓ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવી રહી છે. જેના પર માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને મોટું ફંડ ઉમેરી શકાય છે, જે તમારી જરૂરિયાતો તો પૂરી કરી શકે છે પણ તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે. આ યોજનાઓના રોકાણકારોને કર મુક્તિનો લાભ પણ મળે છે.

સરકારે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોમાં 70 bps (બેઝિસ પોઈન્ટ્સ) સુધીનો વધારો કર્યો છે. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, નેશનળ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓનો લાભ મળશે. તો ચાલો જાણીએ આ બધી યોજનાઓ વિશે.

આ પણ વાંચો : Govt Scheme: ફક્ત 436 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો, જાણો સમગ્ર પ્રક્રિયા

કઈ યોજનાઓ પર કેટલું વ્યાજ?

  1. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) પર વ્યાજ દર 8% થી વધીને 8.2%. થયો.
  2. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દર 7% થી વધારીને 7.7% કરવામાં આવ્યો છે.
  3. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર વ્યાજ દર 7.6 થી વધારીને 8%. કરવામાં આવ્યો છે.
  4. કિસાન વિકાસ પત્ર (KVP) પર તે 7.2 (120 મહિના) થી વધારીને 7.5 (115 મહિના) કરવામાં આવ્યું છે.
  5. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર વ્યાજ દર 7.1% થી વધારીને 7.4% કરવામાં આવ્યો.
  6. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 7.1%. છે. 1 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.6% થી વધીને 6.8% થયો છે.
  7. 2-વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.8% થી વધીને 6.9% થયો છે.
  8. 3 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9% થી વધીને 7%. થયો.
  9. 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 7% થી વધીને 7.5% થયો.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">