AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme: ફક્ત 436 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો, જાણો સમગ્ર પ્રક્રિયા

જીવન જ્યોતિ વીમા પોલિસી 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ લઈ શકે છે. મે 2023માં જાહેર કરાયેલા ડેટા અનુસાર, જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ અત્યાર સુધીમાં 16.19 કરોડ ખાતાને આવરી લેવામાં આવ્યા છે. તે જ સમયે, આ યોજના હેઠળ 13,290.40 કરોડ રૂપિયાના દાવાની પતાવટ કરવામાં આવી છે.

Govt Scheme: ફક્ત 436 રૂપિયામાં મળશે 2 લાખનો વીમો, જાણો સમગ્ર પ્રક્રિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 10:10 PM
Share

કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને આર્થિક રીતે મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PM જીવન જ્યોતિ વીમા યોજના). આ વીમા યોજના દ્વારા સરકાર દેશના દરેક વર્ગના નાગરિકોને ખૂબ જ ઓછી રકમમાં વીમો આપે છે. કોઈપણ નાગરિક માત્ર 436 રૂપિયા વાર્ષિક ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો લઈ શકે છે. સરકારે વર્ષ 2015માં જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી હતી.

દર વર્ષે આટલી રકમ ચૂકવવી પડશે

જીવન જ્યોતિ વીમા યોજનાની પોલિસી ખરીદવા માટે દર વર્ષે 436 રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ 2022 પહેલા પોલિસી ખરીદવા માટે માત્ર 330 રૂપિયા ચૂકવવા પડતા હતા. બાદમાં સરકારે તેને વધારીને 436 રૂપિયા કરી દીધો. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. આ યોજના દ્વારા, તમે કોઈપણ બેંક શાખામાં જઈને અથવા ઘરે બેઠા તમારી બેંકની નેટ બેંકિંગ દ્વારા આ પોલિસી લઈ શકો છો.

જીવન જ્યોતિ વીમા પોલિસી 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ ખરીદી શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસી પાકવાની ઉંમર 55 વર્ષ છે. આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય, તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે.

કેટલી રકમનો દાવો કરી શકાય?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ, કોઈપણ કારણસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનો વીમા દાવો મળે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ મોદી સરકારની ટર્મ વીમા યોજના છે. ટર્મ પ્લાનનો અર્થ એ છે કે વીમા કંપની વીમાની રકમ ત્યારે જ ચૂકવે છે જો વીમા પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થાય. જો જીવન જ્યોતિ વીમા યોજનાની અવધિ પૂર્ણ થયા પછી પણ પોલિસીધારક સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી.

આ પણ વાંચો : Govt Scheme : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મફત ગેસ કનેક્શન 2023, અહીં જાણો યોજનાના લાભ અને અરજી માટે જરૂરી દસ્તાવેજો

વિવિધ આધાર પુરાવા છે જરૂરી

દેશના દરેક વ્યક્તિને જીવન વીમાનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) શરૂ કરવામાં આવી હતી. જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી લેવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અને મોબાઇલ નંબર જરૂરી છે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">