વકીલ vs પોલીસ વિવાદ: એક અફવાના લીધે થયો હતો વિવાદ, તપાસમાં હકીકત આવી સામે

|

Nov 06, 2019 | 5:57 PM

વકીલ અને પોલીસ વચ્ચેનો વિવાદ યથાવત છે. સમગ્ર દેશમાં આ વિવાદને લઈને ઘેરા પડઘાઓ પડી રહ્યાં છે. તીસ હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પોલીસના જવાનો ઘાયલ થયા હતા. આ વિવાદ બાદ દિલ્હી પોલીસના જવાનોએ પ્રદર્શન કર્યું હતું. તપાસમાં એવું સામે આવી રહ્યું છે એક અફવાના લીધે આ વિવાદ થયો હતો. […]

વકીલ vs પોલીસ વિવાદ:  એક અફવાના લીધે થયો હતો વિવાદ, તપાસમાં હકીકત આવી સામે

Follow us on

વકીલ અને પોલીસ વચ્ચેનો વિવાદ યથાવત છે. સમગ્ર દેશમાં આ વિવાદને લઈને ઘેરા પડઘાઓ પડી રહ્યાં છે. તીસ હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પોલીસના જવાનો ઘાયલ થયા હતા. આ વિવાદ બાદ દિલ્હી પોલીસના જવાનોએ પ્રદર્શન કર્યું હતું. તપાસમાં એવું સામે આવી રહ્યું છે એક અફવાના લીધે આ વિવાદ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   કાલુપુરના વૈષ્ણવ મંદિરમાંથી પૌરાણિક મૂર્તિઓની ચોરી ગાદીપતિના પુત્રએ કરી, જુઓ VIDEO

આ વિવાદની તપાસ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવી છે. પ્રાથમિક મુદ્દે એવી માહિતી મળી રહી છે કે એક ખોટી અફવાના લીધે પોલીસ અને વકીલો વચ્ચે તકરાર ઉભી થઈ હતી. જે વકીલોએ આ વિવાદ શરુ કર્યો તે તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટીસ કરી રહ્યાં નહોતા. તેઓ બહારથી આવ્યા હતા અને બાદમાં તેમની સાથે અન્ય વકીલો પણ જોડાયા હતા.

તીસ હજારી કોર્ટમાં વકીલો કોઈ બાર કાઉન્સીલની ચૂંટણી હોવાથી આવ્યા હતા તો તેમની સાથે સમર્થન કરવા માટે બહારથી વકીલ પણ આવ્યા હતા. આ દિવસે કોઈ એવી અફવા ફેલાઈ કે એક વકીલને પોલીસે માર માર્યો. જેને લઈને વિવાદ વકર્યો. ઉચ્ચ અધિકારીઓને માર મારવામાં આવતો હોવાથી પોલીસના જવાનોએ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધીમેધીમે પોલીસ અને વકીલો સામસામે આવી ગયા. પોલીસના જવાનોએ કહ્યું કે પોતે જ અધિકારીઓને બચાવવા માગતા હોવાથી સ્વબચાવમાં તેમને ફાયરિંગ કર્યું. બાદમાં આ વિવાદ વકર્યો અને વાહનોને આગ લગાડી દેવાઈ. ઘણાં પોલીસજવાનોને માર પણ મારવામાં આવ્યો. અંતે પોલીસજવાનો અને તેના પરિવારજનોએ દિલ્હીમાં મોટું પ્રદર્શન કર્યું. જેમાં દિલ્હી-ચંદીગઢ હાઈવે પણ જામ થઈ ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભરોસો આપ્યો બાદમાં પોલીસના જવાનોએ પ્રદર્શન બંધ કર્યું હતું.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:55 pm, Wed, 6 November 19

Next Article