AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્ઞાનવાપી બાદ હવે આ મસ્જિદોનો પણ સર્વે કરાવવાની ઉઠી માંગ, મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો

જ્ઞાનવાપી મસ્જિદના કેસમાં હાઈકોર્ટે એએસઆઈ સર્વેની માંગણી મંજૂર કરી છે પરંતુ કોર્ટે મસ્જિદને કોઈપણ રીતે નુકસાન ન થાય તેવો આદેશ પણ આપ્યો છે. હવે અન્ય મસ્જિદોનો સર્વે પણ આ આધારે થશે ? કે કેમ તેની ચર્ચા થઈ રહી છે.

જ્ઞાનવાપી બાદ હવે આ મસ્જિદોનો પણ સર્વે કરાવવાની ઉઠી માંગ, મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો
Gnanvapi mosques
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 12:48 PM
Share

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે દેશમાં બીજી પણ ઘણી મસ્જિદો છે, જ્યાં સર્વેની માંગ કરવામાં આવી રહી છે, તો શું ત્યાં પણ સર્વે થશે ? હકીકતમાં, દેશના વિવિધ સ્થળોએથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં સ્થાનિક સંગઠનોએ દાવો કર્યો છે કે, મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં મંદિરો હતા.

મથુરાની શાહી ઈદગાહ હોય કે પછી મેરઠની જામા મસ્જિદ, હાલમાં મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મસ્જિદોને હટાવવાની માંગ ઉઠી છે. આ સમાચારમાં જાણીએ કે આખા દેશમાં કઇ કઈ મસ્જિદો પર વિવાદની સ્થિતિ છે અને મામલો કોર્ટમાં પહોંચી ગયો છે.

મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ

મથુરાની શાહી ઈદગાહ અને મીના મસ્જિદના સર્વેની પણ માંગ કરવામાં આવી રહી છે. તે કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં બનેલ છે. તેના પર હિંદુ સંગઠનો અને કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસ સતત કોર્ટમાં સર્વેની માંગ કરી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે તે કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવ્યું હતું. આ આખો વિવાદ 13.37 એકર જમીનનો છે, જ્યાં 2.37 એકર જમીનમાં શાહી ઈદગાહ બનાવવામાં આવી છે. હિન્દુ પક્ષો માંગ કરી રહ્યા છે કે મસ્જિદ હટાવીને મંદિરને આપવામાં આવે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું ગર્ભગૃહ મસ્જિદની અંદર છે.

મસ્જિદની પહેલા બૌદ્ધ મઠ હતો

મેરઠની જામા મસ્જિદ પર પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં અહીં ગેઝેટિયરને પુરાવા તરીકે રજૂ કરતાં ઈતિહાસકારોએ દાવો કર્યો છે કે, જામા મસ્જિદ પહેલા અહીં એક બૌદ્ધ મઠ હતો, જેને મસ્જિદ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યો હતો. ઈતિહાસકારોએ તેના સર્વેની માંગ કરી છે. ઈતિહાસકાર કેડી શર્માએ દાવો કર્યો છે કે, જ્યારે ભૂકંપના કારણે મસ્જિદનો કેટલોક ભાગ તૂટી ગયો હતો ત્યારે અહીં કાટમાળમાં બૌદ્ધ મઠના સ્તંભ દેખાતા હતા.

પ્રયાગરાજમાં નિષાદ કિલ્લાની મસ્જિદ પર વિવાદ

પ્રયાગરાજથી થોડે દૂર આવેલા નિષાદરાજ કિલ્લા પર બનેલી મસ્જિદના મામલામાં પણ વિવાદ વધુ મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. આ સમગ્ર મામલે મંત્રી સંજય નિષાદ અને તેમની સાથે અયોધ્યાના કેટલાક સંતો મસ્જિદની વાતનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે મસ્જિદ હટાવી દેવી જોઈએ.

કર્ણાટકની મલાલી મસ્જિદ કેસ

આવો જ એક વિવાદ કર્ણાટકના મેંગલુરુ શહેરમાં સામે આવ્યો છે. મેંગલુરુની બહાર આવેલી મલાલી મસ્જિદ પર હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે આ મસ્જિદ પણ એક હિન્દુ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. આ મસ્જિદના સર્વેની માંગને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ મામલો મહારાષ્ટ્રમાં આવેલા મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર જલગાંવનો છે. જલગાંવ જિલ્લાના ઈરાનડોલમાં એક મસ્જિદ છે, જેમાં સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે ઈમારત પર કેટલાક મુસ્લિમ સમુદાયના લોકોએ કબજો કર્યો હતો, ત્યારબાદ તેઓએ તેને મસ્જિદમાં ફેરવી દીધું. આવા ગંભીર આરોપ બાદ સ્થાનિક પ્રશાસને હાલમાં મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેની સામે મુસ્લિમ પક્ષ કોર્ટમાં પહોંચ્યો છે.

ભોપાલમાં શિવ મંદિર પર બનેલી છે જામા મસ્જિદ?

ભોપાલની જામા મસ્જિદ સહિત દેશભરમાં ઘણી જગ્યાએ મંદિર-મસ્જિદ વિવાદો છે. હિન્દુ પક્ષોનો દાવો છે કે આ મસ્જિદ શિવ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે તેનો ઉલ્લેખ એક ઉર્દૂ પુસ્તક ‘હયાતે કુદસી’માં કરવામાં આવ્યો છે. આ પુસ્તક મહિલા શાસક દ્વારા લખવામાં આવ્યું હતું. જેણે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. હાલ કોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">