AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: હેટ સ્પીચ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અટલ બિહારી વાજપેયીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, લોકો શા માટે અન્ય નાગરિકો અથવા સમુદાયોને નારાજ ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી. આ દરમ્યાન તેમણે અટલ બિહારી વાજપેયી અને જવાહરલાલ નહેરૂનો પણ ઉલ્લે કરી ઉદાહરણ આપ્યું હતું.

Supreme Court: હેટ સ્પીચ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અટલ બિહારી વાજપેયીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 6:53 PM
Share

નફરતભર્યા ભાષણો આપતા લોકો સામે સખત વાંધો વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે લોકો પોતાના પર નિયંત્રણ કેમ નથી રાખતા. જે ક્ષણે રાજકારણ અને ધર્મ અલગ થઈ જશે અને નેતાઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરશે, ત્યારે આવા ભાષણો બંધ થઈ જશે.

આ પણ વાચો: Supreme court on live-in relationships: સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય, અરજી સાંભળવાની કરી મનાઈ, વાંચો કયા કેસને ધ્યાને લેવાયો

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, તેમના ભાષણો સાંભળવા લોકો દૂર-દૂરના વિસ્તારોમાંથી એકઠા થતા હતા.

સમુદાયોને અપમાનિત ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી

જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અદાલતો કેટલા લોકો સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી શકે છે અને શા માટે ભારતના લોકો અન્ય નાગરિકો અથવા સમુદાયોને અપમાનિત ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી.

નફરતના ભાષણ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ વિવિધ રાજ્યના સત્તાવાળાઓ સામેની અવમાનનાની અરજીઓની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું કે, “દરરોજ નાના તત્વો ટીવી પર અને જાહેર મંચો પર અન્યોને બદનામ કરવા ભાષણો કરી રહ્યા છે.’

સોલિસિટર જનરલે શું કહ્યું?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કેરળમાં એક વ્યક્તિ દ્વારા ચોક્કસ સમુદાય વિરુદ્ધ આપવામાં આવેલા અપમાનજનક ભાષણ પર બેંચનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, અરજદાર શાહીન અબ્દુલ્લાએ દેશમાં દ્વેષપૂર્ણ ભાષણોની ઘટનાઓનો પસંદગીપૂર્વક ઉલ્લેખ કર્યો છે.

FIR મુજબ આવા કેસમાં શું પગલાં લેવામાં આવ્યા

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે નફરત ભર્યા ભાષણ છોડવા એ મૂળભૂત જરૂરિયાત છે. બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, એફઆઈઆર મુજબ આવા કેસમાં શું પગલાં લેવામાં આવ્યા છે, કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે.

ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, બંધારણ મુજબ ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ સાથે કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નફરતભર્યા ભાષણોના મામલામાં કડક પગલાં લેવા અને ફરિયાદની રાહ જોયા વિના ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">