AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્ર પર આવતીકાલે ફરી થશે સૂર્યોદય, ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?

ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. લેન્ડિંગના લગભગ 11 દિવસ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યા હતા. બંનેને બાજુ બાજુમાં રાખવામાં આવ્યા હતા. 22મી સપ્ટેમ્બરે શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદયની અપેક્ષા છે. વિક્રમ અને પ્રજ્ઞાન સૂર્યોદય થતાની સાથે જ ફરી પછા ફરી સક્રિય થવા જઈ રહ્યા છે.

ચંદ્ર પર આવતીકાલે ફરી થશે સૂર્યોદય, ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?
next few hours are very important for Chandrayaan3
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 2:15 PM
Share

ચંદ્ર પર ફરી એકવાર હિલચાલ વધવાની છે. આવતીકાલે એટલે કે ગુરુવારે શિવશક્તિ પોઈન્ટ પર રોશની થવા જઈ રહી છે એટલે કે ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. લેન્ડિંગના લગભગ 11 દિવસ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યા હતા. બંનેને બાજુ બાજુમાં રાખવામાં આવ્યા હતા. 22મી સપ્ટેમ્બરે શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદયની અપેક્ષા છે. વિક્રમ અને પ્રજ્ઞાન સૂર્યોદય થતાની સાથે જ ફરી પછા ફરી સક્રિય થવા જઈ રહ્યા છે.

આ પછી, ઈસરો ફરી એકવાર તેમની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ચંદ્રયાન-3 માટે આગામી કેટલાક કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈસરોએ બુધવારે કહ્યું હતું કે શિવ શક્તિ પોઈન્ટ પર ટૂંક સમયમાં સૂર્યોદય થશે. વિક્રમ અને પ્રજ્ઞાનને સૂર્યપ્રકાશ મળશે. શુક્રવારથી ISRO તેમની સાથે ફરી કામ કરવાનું શરૂ કરશે.

આવતીકાલે શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદય

રોવર અને લેન્ડરને એવી રીતે મૂકવામાં આવ્યા હતા કે જ્યારે સૂર્ય ઉગે ત્યારે સૂર્યપ્રકાશ સોલાર પેનલ પર પડે. તમને જણાવી દઈએ કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્રયાન-3 મિશન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. લેન્ડર અને રોવર દ્વારા ચંદ્રની સપાટી પર ઘણા પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા હતા. હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે વિક્રમ અને પ્રજ્ઞાન 22મી સપ્ટેમ્બરે ફરી સક્રિય થાય.

ISRO ચીફ એસ સોમનાથે શું કહ્યું? ISRO ચીફ એસ સોમનાથે કહ્યું કે તેના પેલોડ્સ શિવ શક્તિ પોઈન્ટ પર જ્યાં લેન્ડર અને રોવર પાર્ક છે ત્યાં સૂર્યોદય પછી ફરી આગળ વધવાનું શરૂ કરી શકે છે. ઈસરોની ટીમ 21 અને 22 સપ્ટેમ્બરે ફરી વાતચીત કરવાનો પ્રયાસ કરશે. સોમનાથે કહ્યું કે અમે આશા રાખી શકીએ કે બંને ફરી સક્રિય થાય અને ફરીથી કામ કરવાનું શરૂ કરે.

ભારતે 23મી ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો

ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. કારણ કે હજુ સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીને ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ તેઓ દક્ષિણ ધ્રુવ પર ઉતરી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ 4 તબક્કામાં થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">