Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણામંત્રી 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરી શકે છે આ વાત

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ધિરાણકર્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને અર્થતંત્રના પુનરુત્થાન માટે સરકારી યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના વડાઓ સાથે બેઠક કરશે.

નાણામંત્રી 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે કરશે બેઠક, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કરી શકે છે આ વાત
Nirmala Sitharaman (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 3:45 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ધિરાણકર્તાઓની કામગીરીની સમીક્ષા કરવા અને અર્થતંત્રના પુનરુત્થાન માટે સરકારી યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા 23 એપ્રિલે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ના વડાઓ સાથે બેઠક કરશે. નાણાકીય વર્ષ 2022-23નું બજેટ (Budget 2022) રજૂ કર્યા પછી PSBના વડાઓ સાથે નાણામંત્રીની આ પ્રથમ બેઠક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સરકાર બેન્કોને અર્થતંત્રની ગતિને ઝડપી બનાવવા ઉત્પાદક ક્ષેત્રોને ધિરાણ ફાળવણી વધારવા માટે કહી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ અને વિવિધ આર્થિક ક્ષેત્રોની કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) પણ સમીક્ષા હેઠળ હશે.

આ વર્ષના બજેટમાં ECLGSને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે આ યોજના હેઠળ આપવામાં આવતી ગેરંટી કવરને પણ 50,000 કરોડ રૂપિયા વધારીને 5 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. આતિથ્ય, પ્રવાસ, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોને પણ આ યોજનાના દાયરામાં લાવવામાં આવ્યા છે. ઉપરાંત, લાયક ઉધાર લેનારાઓ માટેની ક્રેડિટ મર્યાદા તેમના ફંડ-આધારિત ક્રેડિટ બાકીના 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી હતી. ઉન્નત મર્યાદા ઉધાર લેનાર દીઠ મહત્તમ રૂ. 200 કરોડને આધીન છે.

જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં વધારો થયો છે

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં આખા વર્ષ માટે બેન્કિંગ સેક્ટરનો એજન્ડા નક્કી થઈ શકે છે. પાછલા નાણાકીય વર્ષમાં, એપ્રિલ-ડિસેમ્બર 2021 દરમિયાન જાહેર ક્ષેત્રની કોઈપણ બેંકને નુકસાન થયું ન હતું અને PSBs એ આ નવ મહિનામાં 48,874 કરોડ રૂપિયાનો સામૂહિક ચોખ્ખો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ 2020-21માં 31,820 કરોડ રૂપિયાનો સામૂહિક ચોખ્ખો નફો મેળવ્યો હતો. પરંતુ તેના પહેલા સતત પાંચ વર્ષમાં આ બેંકોએ સામૂહિક રીતે ખોટ સહન કરવી પડી હતી. વર્ષ 2017-18માં સૌથી વધુ 85,370 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં

આ પણ વાંચો: Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ

આ પણ વાંચો: World Squash: દીપિકા પલ્લીકલે જોડિયા બાળકોની માતા બન્યા બાદ કોર્ટમાં પરત ફરતા જ કર્યો કમાલ, બે ગોલ્ડ મેડલ જીતી ભારતનુ વધાર્યુ ગૌરવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">