West Bengal: ‘યુદ્ધ જેટલુ મુશ્કેલ, હથિયાર તેટલા જ મહત્વના બની જાય’, રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના કાર્યક્રમમાં PM મોદીનું નિવેદન
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શુક્રવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ આજે કોલકાતા (Kolkata)માં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (Chittaranjan National Cancer Institute)ના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, અમે દેશના દરેક નાગરિકને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. જેનાથી તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાયદો થશે, જેમના કોઇ પોતાના કેન્સર સામે લડી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે વર્ષની શરૂઆત 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણથી કરી. વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારત 150 કરોડ રસીના ડોઝનો ઐતિહાસિક સીમાચિહ્ન પણ હાંસલ કરી રહ્યું છે.
પુખ્ત વસ્તીના 90% લોકોને રસી આપવામાં આવી
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની 90 ટકાથી વધુ પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ મળ્યો છે. માત્ર 5 દિવસમાં 1.5 કરોડથી વધુ બાળકોને પણ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિદ્ધિ આખા દેશની છે, દરેક સરકારની છે.
‘બંગાળમાં અત્યાર સુધીમાં 11 કરોડ ડોઝ નિઃશુલ્ક આપવામાં આવ્યા’
અત્યાર સુધીમાં સરકાર દ્વારા પશ્ચિમ બંગાળને કોરોના રસીના લગભગ 11 કરોડ ડોઝ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. બંગાળને દોઢ હજારથી વધુ વેન્ટિલેટર, 9 હજારથી વધુ નવા ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવ્યા છે. 49 PSA નવા ઓક્સિજન પ્લાન્ટ પણ કામ કરવા લાગ્યા છે.
આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના બીજા કેમ્પસના ઉદ્ઘાટન બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આનાથી રાજ્યના કેન્સરના દર્દીઓને ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે તેના નિર્માણમાં રાજ્ય સરકારનો હિસ્સો 25 ટકા છે.
કોલકાતા સ્થિત ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું આ કેમ્પસ 530 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેમાંથી લગભગ 400 કરોડ રૂપિયા કેન્દ્ર દ્વારા અને બાકીના પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 75:25ના રેશિયોમાં આપવામાં આવ્યા છે. આ સાથે દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારના કેન્સરના દર્દીઓને સંસ્થા તરફથી ઘણી સુવિધા મળશે.
આ નવા કેમ્પસમાં 460 બેડ સાથેનું સર્વગ્રાહી કેન્સર યુનિટ છે. જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ કેમ્પસ દેશના તમામ ભાગોમાં આરોગ્ય સુવિધાઓનો વિસ્તરણ અને અપગ્રેડ કરીને પીએમના વિઝન હેઠળ બનાવવામાં આવ્યું છે. સીએમ મમતા બેનર્જી પણ તેમના નિવાસસ્થાનથી આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટનમાં હાજરી આપશે.
નવું કેમ્પસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે
CNCI પર કેન્સરના દર્દીઓનો ભારે ધસારો હતો અને છેલ્લા કેટલાક સમયથી તેના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. સીએનસીઆઈની નવી જગ્યાના નિર્માણથી તેના પરનો બોજ હવે ઓછો થશે. નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે. પીએમએ કહ્યું કે આ સંકુલ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ કામ કરશે.
ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની કેન્સર મેડિકલ હોસ્પિટલ છે. તે ભારતના 25 પ્રાદેશિક કેન્સર કેન્દ્રોમાંનું એક છે. આ સંસ્થા કોલકાતામાં જતીનદાસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે છે. તેની સ્થાપના મહાન સ્વતંત્ર હતી
આ પણ વાંચોઃ જમ્મૂ કાશ્મીરમાં 7 દિવસમાં 6 અથડામણ, સુરક્ષાદળોએ 6 પાકિસ્તાની સહિત 11 આતંકીઓને કર્યા ઠાર