હજારો કર્મચારીઓને કાર ભેટ આપનાર જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ હવે કરવા જઈ રહ્યાં છે તિહાડ જેલમાં આ સારુ કામ, 14 હજાર કેદીઓ જોઈ રહ્યાં છે વાટ!
સુરતના હીરા ઉધોગપતિ સવજી ધોળકીયાએ પહેલીવાર દિલ્હીની તિહાર જેલમાં કેદીઓ માટે ભાગવત કથાનું આયોજન કર્યું છે. અત્યારસુધી તેમની ડાયમંડ કંપનીના એમ્પ્લોઇઝ માટે જ ભાગવત કથા કરતા આવતા સવજીભાઈએ આ વખતે કેદીઓના જીવનમાં બદલાવ આવે તે માટે વિચાર કર્યો છે. તિહાર જેલ ભારતની સૌથી મોટી જેલ છે. જ્યાં ખૂંખાર કેદીઓ સજા કાપી રહ્યા છે. ત્યારે આ […]

સુરતના હીરા ઉધોગપતિ સવજી ધોળકીયાએ પહેલીવાર દિલ્હીની તિહાર જેલમાં કેદીઓ માટે ભાગવત કથાનું આયોજન કર્યું છે. અત્યારસુધી તેમની ડાયમંડ કંપનીના એમ્પ્લોઇઝ માટે જ ભાગવત કથા કરતા આવતા સવજીભાઈએ આ વખતે કેદીઓના જીવનમાં બદલાવ આવે તે માટે વિચાર કર્યો છે.

તિહાર જેલ ભારતની સૌથી મોટી જેલ છે. જ્યાં ખૂંખાર કેદીઓ સજા કાપી રહ્યા છે. ત્યારે આ ભાગવત કથા 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવી છે. તિહાડ–અંધકારથી પ્રકાશ તરફ આ સૂત્ર હેઠળ વ્યાસપીઠ પર જીગ્નેશ દાદા કેદીઓને ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ પહેલા સવજી ધોળકીયા પોતાની ડાયમંડ કંપનીના કર્મચારીઓ અને તેમના માતાપિતા માટે હરિદ્વારમાં તેમજ સુરતમાં ભાગવત કથાનું આયોજન કરી ચુક્યા છે.આ પહેલીવાર હશે જ્યારે તિહાર જેવી મોટી જેલમાં કેદીઓના જીવનમાં પ્રકાશ લાવવાના પ્રયત્ન હેતુ ભાગવત કથા રાખવામાં આવી છે.
[yop_poll id=1383]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]