કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે SC-ST સંશોધન કાયદાને પડકારતી અરજીને ફગાવી દીધી છે. હવે SC-ST સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળવા પર તરત જ FIR દાખલ કરવામાં આવશે અને ધરપકડ પણ કરાશે. […]
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે SC-ST સંશોધન કાયદાને પડકારતી અરજીને ફગાવી દીધી છે. હવે SC-ST સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળવા પર તરત જ FIR દાખલ કરવામાં આવશે અને ધરપકડ પણ કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં SC-ST કાયદાના દૂરઉપયોગની ફરિયાદ બાદ નોંધ લઈ FIR અને ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સંસદમાં કોર્ટના આદેશને ફેરવવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. તેના દ્વારા બીજી વખત મૂળ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો