ના મતલબ ના ! મરજી વગર પતિ સ્પર્શ કરશે તો ગણાશે Marital Rape : Supreme Court

સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશની તમામ મહિલાઓને સુરક્ષિત અને કાયદાકીય રીતે ગર્ભપાત કરવાનો અધિકાર છે.

ના મતલબ ના ! મરજી વગર પતિ સ્પર્શ કરશે તો ગણાશે Marital Rape : Supreme Court
Rape must include marital rape for purpose of MTP Act
Follow Us:
| Updated on: Sep 29, 2022 | 12:34 PM

મહિલાઓના સન્માનના પક્ષમાં સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુરુવારે વૈવાહિક બળાત્કાર પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. મહિલાઓને તેમની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવો એ ગુનો ગણાશે, પછી ભલે તે પતિ જ હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘વૈવાહિક બળાત્કાર'(marital rape) પણ બળાત્કારની શ્રેણીમાં આવવો જોઈએ. જસ્ટિસ ડીવીઈ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ગર્ભપાત પર ચુકાદો સંભળાવતા આ બાબતો રાખી છે. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એમેન્ડમેન્ટ એક્ટ, 2021ની જોગવાઈઓનું અર્થઘટન કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ વાત કહી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પરિણીત મહિલા તેની સંમતિ વિના ગર્ભવતી થઈ જાય તો પણ તેને મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કાર તરીકે ગણવામાં આવે. આ અર્થમાં, તેણીને ગર્ભપાત કરવાનો અધિકાર હશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે બળાત્કારની વ્યાખ્યામાં ‘મેરિટલ રેપ’નો પણ સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પતિ દ્વારા મહિલા પર થતા યૌન શોષણ બળાત્કારનું સ્વરૂપ લઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારની વ્યાખ્યામાં વૈવાહિક બળાત્કારનો સમાવેશ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે સ્ત્રીની વૈવાહિક સ્થિતિ તેણીને અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાના અધિકારને નકારવા માટેનું કારણ બની શકે નહીં.

આ નિર્ણય હાઈકોર્ટમાં આવ્યો છે

તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટમાં પણ વૈવાહિક બળાત્કાર અંગે સુનાવણી થઈ હતી. પરંતુ બંને ન્યાયાધીશોનો અભિપ્રાય અલગ હતો. આ પછી, આ મામલો ત્રણ જજની બેંચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. એક ન્યાયાધીશે કહ્યું કે ઈચ્છા વિના શારીરિક સંબંધ બાંધવો ગુનો છે. જ્યારે અન્ય ન્યાયાધીશનો અભિપ્રાય આ મામલે અલગ હતો. કેન્દ્ર સરકારે આ સંબંધમાં વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે તેને ગુનો જાહેર કરી શકાય નહીં. આ લગ્ન જેવી પવિત્ર સંસ્થાને હચમચાવી શકે છે. સરકાર પણ માનતી હતી કે તેનો ઉપયોગ પતિઓ સામે હથિયાર તરીકે થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કાયદામાં ‘વૈવાહિક બળાત્કાર’

IPCની કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા છે, પરંતુ તેમાં અપવાદ છે. આ કારણોસર, લગ્ન પછી પતિ દ્વારા બળાત્કારને ‘મેરિટલ રેપ’ ગણવામાં આવતો નથી. કલમ 375માં અપાયેલા અપવાદ મુજબ, સગીર પત્ની સાથે સંબંધ રાખવાને પણ ગુનો ગણવામાં આવશે નહીં. ભલે બળ દ્વારા હોય કે સંમતિથી. તે જ સમયે, કલમ 376 માં એક જોગવાઈ છે, જે હેઠળ પત્ની સાથે બળાત્કારના કેસમાં પતિને સજા આપવાનો કાયદો છે. પરંતુ આ માટે એક શરત છે, જે અંતર્ગત પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો ઉંમર 15 વર્ષથી વધુ હોય તો દંડ અથવા બે વર્ષની જેલની સજાનો નિયમ છે.

દેશમાં વૈવાહિક બળાત્કારની સ્થિતિ

દેશમાં આ એક એવો સળગતો મુદ્દો છે, જેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી. હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી નવો રસ્તો દેખાડવામાં આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા અનુસાર, 82 ટકા મહિલાઓ વૈવાહિક બળાત્કારનો શિકાર બની છે. આ જ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 45 ટકા મહિલાઓના શરીર પર જાતીય હિંસાના કેટલાક ઘા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">