નિર્ભયાકાંડના દોષીઓને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સામૂહિક બળાત્કારના દોષીઓની બચવાની કોશિશ નિષ્ફળ ગઈ છે. કારણ કે સુપ્રીમ કોર્ટે બે દોષીઓ મુકેશ અને વિનયની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુપ્રીમ કોર્ટને આ બંનેની ક્યુરેટિવ પિટીશનમાં કોઈ નવી વાત ન લાગી કે જેના પર ચર્ચા કે સુનાવણી થઈ શકે. હવે દોષીઓ પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીનો અંતિમ વિકલ્પ છે. આ ઉપરાંત બાકીના બે દોષીઓ પાસે અક્ષય અને પવનની ક્યુરેટિવ પિટીશનનો વિકલ્પ બચ્યો છે. જે તેઓ આજે જ ફાઈલ કરે તેવી શક્યતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો