AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 શિખર સંમેલનમાં PM MODIએ કહ્યું, “અફઘાનિસ્તાનને કટ્ટરપંથ અને આતંકવાદનો ચહેરો બનતા રોકવું પડશે”

PM Modi in G20 summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અફઘાનિસ્તાન સંકટ પર G20 ખાસ નેતાઓના સમિટમાં હાજરી આપી હતી. તેમને ઇટાલીના રાષ્ટ્રપતિએ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

G20 શિખર સંમેલનમાં PM MODIએ કહ્યું, અફઘાનિસ્તાનને કટ્ટરપંથ અને આતંકવાદનો ચહેરો બનતા રોકવું પડશે
Stressed on preventing afghan territory from becoming source of radicalisation terrorism says pm modi in g20 summit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:38 PM
Share

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ મંગળવારે અફઘાનિસ્તાન સંકટ પર G20 ખાસ નેતાઓના સમિટમાં હાજરી આપી હતી. તેમને ઇટાલીના રાષ્ટ્રપતિએ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અફઘાન ક્ષેત્રને કટ્ટરપંથી અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો.

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી શાસન માટે હાકલ કરી હતી. વડાપ્રધાને અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની મહત્વની ભૂમિકા માટે ટેકો વ્યક્ત કર્યો અને અફઘાનિસ્તાન પર યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2593 માં સમાવિષ્ટ સંદેશ માટે G20 માટે નવેસરથી સમર્થન માટે હાકલ કરી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સમુદાયને એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ તૈયાર કરવા હાકલ કરી હતી, જેના વગર અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં ઇચ્છિત પરિવર્તન લાવવું મુશ્કેલ બનશે.

થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G20માં ખાસ નેતાઓની સમિટના એજન્ડામાં યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં માનવતાવાદી જરૂરિયાતો અને મૂળભૂત સેવાઓ અને આજીવિકાની પહોંચ અંગેની ચર્ચાઓ શામેલ હશે. આ વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ અગાઉ અફઘાનિસ્તાન પર શાંઘાઈ સહયોગ સંગઠન-સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (SCO-CSTO) આઉટરીચ સમિટમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી એસ.જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસંગે અફઘાનિસ્તાન પર G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો.

વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓ G20માં સમાવિષ્ટ G20માં વિશ્વની વીસ મોટી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં છે. આ પ્રયાસો આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ બનાવવામાં મદદ કરવા અને અફઘાનિસ્તાનમાં બગડતા માનવતાવાદી સંકટને ઉકેલવા માટે કરવામાં આવી રહ્યા છે. 29 સપ્ટેમ્બરે ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી દ્વારા સમિટની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક રોમમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી G20 નેતાઓના શિખર સંમેલનના અઠવાડિયા પહેલા આવે છે.

G20 વિશ્વની 19 અગ્રણી અર્થવ્યવસ્થાઓ અને યુરોપિયન યુનિયનને એકસાથે લાવે છે અને તેના સભ્યો વૈશ્વિક GDPના 80 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકા અને વૈશ્વિક વસ્તીના 60 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. G20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Jammu Kashmir :5 જવાનોની શહાદત બાદ સેનાની કાર્યવાહી, શોપિયાંમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર માર્યા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">