Jammu Kashmir :5 જવાનોની શહાદત બાદ સેનાની કાર્યવાહી, શોપિયાંમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર માર્યા

સોમવારે સરહદી પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

Jammu Kashmir :5 જવાનોની શહાદત બાદ સેનાની કાર્યવાહી,  શોપિયાંમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ ઠાર માર્યા
Jammu and Kashmir : Five militants were killed in separate encounters in Shopian
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:43 PM

Jammu Kashmir : જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આજે ​​12 ઓક્ટોબરે સવારે શોપિયાંના ઇમામ સાહિબ વિસ્તારના તુલરાન ગામમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ સાથે ફેરીપોરા વિસ્તારમાં એક અલગ ઓપરેશનમાં, બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શોપિયાંના તુલરાન અને ફેરીપોરા બંને ગામોમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા.” પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, ગંદરબલના મુખ્તાર શાહ તરીકે ઓળખાતા એક આતંકવાદીએ થોડા દિવસો પહેલા શ્રીનગરની હદમાં બિહારના ફેરૈયા વિરેન્દ્ર પાસવાનની હત્યા કર્યા બાદ શોપિયામાં રહેતો હતો. પાસવાનની 5 ઓક્ટોબરે શહેરના હવાલ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ તે દિવસે બાંદીપોરા જિલ્લાના નાયડખાય વિસ્તારમાં સ્થાનિક ટેક્સી સ્ટેન્ડના ચેરમેન મોહમ્મદ શફી લોનની પણ હત્યા કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તુલરાનમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ શોપિયાંના દાનિશ હુસૈન ડાર, ફેલિપોરાના યાવર હુસેન નાયકુ અને ગંદરબલના મુખ્તાર અહેમદ શાહ તરીકે થઈ છે. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલી સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના હતા.

સોમવારે સરહદી પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા. પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકો શહીદ થયા હતા. નિયંત્રણ રેખા પાર કરનારા આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે શસ્ત્રો સાથે આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો મળ્યા હતા. આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, પાંચેય સૈનિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો : અમદાવાદમાં 98.93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો, 50.94 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયા

આ પણ વાંચો : SURENDRANAGAR : આમ આદમી પાર્ટીમાં હોબાળો, એક સાથે 100થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">