AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil Price: ખાદ્ય તેલને લઈને સરકારે લીધું મહત્વનું પગલું, તેમ છતાં કિંમત ઘટવામાં લાગશે સમય, જાણો આ પાછળનું કારણ

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે કે તે ધ્યાન આપવાનું રહેશે કે સ્ટોક મર્યાદા કરતા વધારે સંગ્રહખોરી ન થાય. જો સંગ્રહખોરીની કોઈ ફરિયાદ મળી હોય તો કાર્યવાહી કરવી જોઈએ.

Edible Oil Price: ખાદ્ય તેલને લઈને સરકારે લીધું મહત્વનું પગલું, તેમ છતાં કિંમત ઘટવામાં લાગશે સમય, જાણો આ પાછળનું કારણ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:40 PM
Share

છેલ્લા ઘણા સમયથી ખાદ્ય તેલના(Edible oil) ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે મહિલાઓના બજેટ ખોરવાઈ ગયા છે. આ વચ્ચે ખાદ્ય તેલોની કિંમતોને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે (Central Government) શનિવારે વધુ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર હેઠળ કાર્યરત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદાના નિયમનો અમલ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. 

સરકારના આદેશ અનુસાર સ્ટોક લિમિટનો આ નિયમ આવતા વર્ષે 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. મંત્રાલયે રાજ્યોને સ્ટોક મર્યાદાના નિયમનું પાલન કરવા કહ્યું છે, જેથી તેલ અને તેલીબિયાના ભાવ નીચે આવી શકે. સરકારે સ્ટોક લિમિટના અમલ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન બહાર પાડ્યા બાદ રાજ્યો તેમના વપરાશ અનુસાર સ્ટોક લિમિટ નક્કી કરશે.

વપરાશ કરતાં વધુ રાજ્યોમાં સંગ્રહખોરી કરી શકાતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી માંગ અને પુરવઠામાં સુધારો થશે અને કિંમતો નીચે આવશે. સરકારે આ પહેલા પણ ઘણા મોટા પગલા લીધા છે. પરંતુ કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી. સરસવના તેલની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટર છે. કોઈ પણ તેલનો ભાવ 200થી નીચે નથી.

નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. તહેવારોની સિઝન આવી રહી છે. દશેરા અને દિવાળીને ધ્યાનમાં રાખીને ખાદ્યતેલોનું વેચાણ વધશે. પરંતુ જો ભાવ વ્યાજબી નહીં હોય તો લોકોમાં નારાજગી વ્યાપી શકે છે. તેને જોતા સરકારે સ્ટોક લિમિટ લગાવવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે ભૂતકાળમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો અને ઘણા તેલની આયાતને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તે પછી પણ ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા.

સ્ટોક લિમિટ પર નજર રાખવામાં આવશે

સરકારની સૂચનામાં રાજ્યોને આદેશ કરવામાં આવ્યો છે કે જોવાનું રહેશે કે સ્ટોક લિમિટ કરતા વધુ સંગ્રહખોરી નથી થઈ રહીને. જો સંગ્રહખોરીની કોઈ ફરિયાદ હોય તો કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યોને તેમની માંગ મુજબ સ્ટોક લિમિટ નક્કી કરવા અને તેમની સાથે સમાન પ્રમાણમાં તેલ અને તેલીબિયા રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ અંતર્ગત સેબીએ એક મોટું પગલું ભર્યું છે. વાયદા બજારમાં સરસવના તેલના વાયદાના વેપારને અટકાવી દીધો છે. ખાદ્યતેલોના ભાવને અંકુશમાં લેવા માટે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

સ્થાનિક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે આ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ સપ્લાયને લઈને પણ ઘણી સમસ્યા છે કારણ કે ભારતમાં ખાદ્ય તેલોનો વપરાશ જે રીતે વધ્યો છે તે મુજબ સપ્લાય નથી. ભારત હાલમાં 60 ટકા સુધી તેલ-તેલીબિયાની આયાત કરે છે અને વૈશ્વિક બજારોમાં તેલ-તેલીબિયાના ભાવ આસમાને છે.

સપ્લાયની વાત કરવામાં આવે તો ભારતમાં સરસવનો સૌથી ઓછો પુરવઠો છે, તેથી સરસવના તેલના ભાવ સૌથી વધુ વધ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સ્ટોક લિમિટ નક્કી કરવાથી ટૂંકા ગાળામાં કિંમતોમાં રાહત મળી શકે છે, પરંતુ લાંબા ગાળે મોટો ફાયદો મેળવવો મુશ્કેલ છે. સપ્લાય સરળ થાય ત્યાં સુધી ગ્રાહકોએ રાહ જોવી પડશે.

આ પણ વાંચો : જો તમે પણ છેલ્લી તારીખ પછી ITR ફાઈલ કરો છો? તમારે દંડ ચૂકવવો પડશે નહીં, જાણો આ પાછળનું કારણ

આ પણ વાંચો :Electricity Crisis: અંધારામાં ડૂબી ગયું લેબનાન, દેશને ઘણા દિવસ સુધી રહેવું પડશે અંધારામાં, ભારત ઉપર પણ છે ખતરો!

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">