પશ્ચિમ બંગાળમાં STF નુ ઓપરેશન, અલકાયદા સાથે જોડાયેલા 2 શંકમદ ઝડપાયા

|

Aug 18, 2022 | 10:12 AM

STFએ દિનાજપુર અને કોલકાતામાંથી 2 શકમંદોને પકડ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ બંને શંકાસ્પદ આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા છે.

પશ્ચિમ બંગાળમાં STF નુ ઓપરેશન, અલકાયદા સાથે જોડાયેલા 2 શંકમદ ઝડપાયા
suspected accused Abdur Rakib and Qazi Ahsan Ullah

Follow us on

પશ્ચિમ બંગાળમાં આતંકી કનેક્શનને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. રાજ્ય પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) યુનિટે બુધવારે રાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરીબારીમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદાના (al-Qaeda) બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઈન ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS)ના સક્રિય સભ્યો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (Special Task Force) બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે બંનેને કસ્ટડીમાં લીધા હતા.

STF સૂત્રોનું કહેવું છે કે અટકાયત કરાયેલા લોકોની ઓળખ અબ્દુર રકીબ સરકાર, ગંગારામપુર, જિલ્લા દક્ષિણ દિનાજપુરના રહેવાસી અને હુગલી જિલ્લાના આરામબાગના રહેવાસી કાઝી અહેસાન ઉલ્લાહ તરીકે થઈ છે.

પશ્ચિમ બંગાળ પોલીસના STFએ તેમના કબજામાંથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતા અનેક કટ્ટરપંથી સાહિત્ય જપ્ત કરવાનો દાવો કર્યો છે. અટકાયત કરાયેલા બે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની વિવિધ કલમો હેઠળ ચોક્કસ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને પૂછપરછ દરમિયાન અન્ય 17 FIRના નામો સામે આવ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આતંકવાદી સૈફુલ્લાહ 5 વર્ષથી ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓની માહિતી લઈ રહ્યો હતો

અહીં, યુપીના ફતેહપુરથી, લખનૌ એટીએસની ટીમે હબીબુલ ઇસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરી હતી. હવે તેણે તેના ઘણા રહસ્યો જાહેર કર્યા છે. સૈફુલ્લાહે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તે ઈન્ટરનેટ દ્વારા આતંકવાદી ગતિવિધિઓની માહિતી લઈ રહ્યો હતો. તે આતંકવાદી સંગઠનોથી પ્રભાવિત હતો કારણ કે તે ભારતને ઈસ્લામિક દેશ બનાવવાનું સપનું જોઈ રહ્યો હતો.

તેણે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનોના એક જૂથમાં જોડાયો હતો. તેમણે પોતાની આસપાસના યુવાનોને જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. ફતેહપુર, કાનપુર, પ્રયાગરાજના યુવાનો તેમના જૂથમાં જોડાયેલા હતા. ઉત્તર પ્રદેશ ઉપરાંત ઝારખંડ, મહારાષ્ટ્ર, કાશ્મીર અને ગુજરાતમાં પણ આતંકવાદ સાથે સંકળાયેલા લોકોની પુષ્ટિ થઈ છે. સૈફુલ્લા ઉર્ફે હબીબુલે આમાંથી 8 લોકોના નામ એટીએસને આપ્યા છે.

Next Article