AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Coronavirus Guidelines: ‘કોરોના વાયરસને લઈ સતર્ક રહે રાજ્ય સરકારો’, કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં કોરોનાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

Breaking News: Coronavirus Guidelines: 'કોરોના વાયરસને લઈ સતર્ક રહે રાજ્ય સરકારો', કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
Coronavirus Guidelines
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 4:19 PM
Share

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે બપોરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં કોરોનાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: America: ભારતીય યુવકે એક વર્ષમાં 20 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી, વૃદ્ધોને કર્યા ટાર્ગેટ, 33 મહિનાની જેલની સજા થઇ

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ કોવિડ-19ના સંચાલન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાજ્યો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ બેઠક દરમિયાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ સહકારની ભાવનાથી કામ કરવાની જરૂર છે. અગાઉની લહેર વખતે પણ બરાબર એવું જ થયું હતું. જો કે, આ બેઠકમાંથી એક ખાસ વાત બહાર આવી છે કે માસ્ક હજુ સુધી ફરજિયાત બનાવવામાં આવ્યા નથી અને રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારોએ સતર્ક રહેવું જોઈએ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સતર્ક રહેવા અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીઓને 10 અને 11 એપ્રિલે તમામ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મોકડ્રીલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત 8 અને 9 એપ્રિલે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા પણ તાકીદ કરી છે.

ચાર દિવસમાં કોરોનાના દર્દીઓ બમણા થયા

દેશમાં માત્ર ચાર દિવસમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 6,050 નવા કેસ મળી આવ્યા છે. આ સિવાય એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 28,303 થઈ ગઈ છે.

24 કલાકમાં 14 દર્દીઓના મોત થયા છે

મંત્રાલયે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 14 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોનો આંકડો વધીને 5 લાખ 30 હજાર 943 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ત્રણ, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં એક-એક દર્દીના મોત થયા છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
ગટરનું ઢાંકણુ તૂટી જતા અંદર ખાબક્યો યુવક
g clip-path="url(#clip0_868_265)">