ક્યારેક કોરા કાગળમાં પણ ‘માનવતા’ શબ્દ છૂપાયેલો હોય છે- પોસ્ટ વિભાગે લાગણીસભર એડ બનાવી આપ્યો હ્રદયસ્પર્શી સંદેશ- જુઓ Video

આપણા માટે જે માત્ર એક કાગળનો ટુકડો હોય એ કોઈ માટે કદાચ જીવન જીવવાનું એકમાત્ર કારણ પણ હોઈ શકે. ઓરિસ્સા પોસ્ટ વિભાગે એક હ્રદયસ્પર્શી એડ બનાવી આ સંદેશ આપ્યો છે. આજે મોબાઈલ અને ટેકનોલોજીના સમયમાં જ્યારે કોઈને પત્ર લખવાનુ સાવ નહિવત થઈ ગયુ છે ત્યારે એક પેઢી હજુ પણ એવી છે જે હજુ કોઈના પત્રની રાહે હોય છે. જેના માટે એ પત્ર જ જીવન જીવવા માટેનુ કારણ હોય છે. ત્યારે પોસ્ટ વિભાગે આ એડ દ્વારા એ પણ સંદેશ આપ્યો છે કે તેમની પાસે આવનારી દરેક ચિઠ્ઠીના મહત્વને તેઓ સમજે છે અને એ ચિઠ્ઠી જેની અમાનત હશે તેના સુધી પહોંચાડવાની પોસ્ટવિભાગ પુરી નિષ્ઠાથી તેની ફરજ બજાવશે.

Follow Us:
| Updated on: Jul 28, 2024 | 2:34 PM

ભારતીય પોસ્ટ વિભાગે એક બહુ હ્રદયસ્પર્શી અને લાગણીસભર જાહેરાત બનાવી એક પત્રનું કોઈ વ્યક્તિના જીવનમાં શું મહત્વ હોય છે તે સમજાવ્યુ છે. અહીં આ વીડિયોમાં એક મહિલા રોજ પોસ્ટ ઓફિસમાં જઈને તેના પૌત્ર રઘુના પત્ર આવ્યો કે નહીં એ જાણવા પહોંચી જાય છે. રોજ મહિલાને જોઈને અકળાયેલા પોસ્ટમાસ્તરે એકદિવસ આ મહિલાને રીતસર કડક શબ્દોમાં ધમકાવી નાખ્યા.

પોસ્ટ માસ્ટરે જે મહિલાને પાગલ મહિલા કહીને ધમકાવી એ હકીકતમાં એક મહાન મહિલા નીકળ્યા

પોસ્ટ માસ્ટરે મહિલાને જણાવ્યુ કે આજ મોબાઈલના જમાનામાં કોણ તમને પત્ર લખવાનુ છે શું રોજ સવાર પડેને આવી જાઓ છો. આ સાંભળી મહિલા વધુ એકવાર પોસ્ટમેનને વિનંતિ કરે છે કે એકવાર ચેક તો કરો કદાચ કોઈ પત્ર આવ્યો હોય. ત્યારે પોસ્ટમેન વધુ અકળાય છે અને તેને ત્યાંથી જવાનુ કહી દે છે. થોડીવારમાં પોસ્ટઓફિસના પટ્ટાવાળાભાઈને એ પૂછે છે કે આ મહિલા શું પાગલ છે કે રોજ અહીં આવી જાય છે. ત્યારે એ પટ્ટાવાળા જણાવે છે એ મહિલા પાગલ નથી પરંતુ મહાન છે. તેના પતિ અને તેમના દીકરાએ દેશની રક્ષા કાજે શહાદત વહોરી લીધી છે અને એ જ આઘાતમાં તેના દીકરાની પુત્રવધુ પણ મૃત્યુ પામી છે. જે બાદ તેનો એકનો એક પૌત્ર રઘુવેન્દ્ર બહાદુર સિંહ તેનો એકમાત્ર સહારો હતો. પરંતુ તે પણ તેના પિતા અને દાદાની જેમ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવા માગતો હતો. અને એક દિવસ દાદીના લાખો ના પાડવા છતા પૌત્ર સેનામાં ભર્તી થઈ ગયો. જતી વખતે પૌત્ર રઘુએ તેને વચન આપ્યુ હતુ કે તે દર મહિને તેની દાદીને એક ચિઠ્ઠી જરૂર લખશે, બસ એ જ ચિઠ્ઠીની રાહમાં આ મહિલા રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ રહી છે. આંખોમાં એ આશા સાથે આવે છે કે આજે તો તેના પૌત્ર રઘુની ચિઠ્ઠી પોસ્ટમેન તેને આપશે જ અને જાય છે આંખોમાં આંસુ લઈને.

આટલુ સાંભળીને પોસ્ટમેન અવાચક થઈ ગયા અને ત્યાં પટાવાળાએ જણાવ્યુ કે….

પટ્ટાવાળા ભાઈ વધુમાં જણાવે છે કે એક ચિઠ્ઠી તમારા માટે માત્ર કાગળનો ટુકડો હશે પરંતુ એ મહિલા માટે એ જીવન જીવવા માટેનો સહારો છે. અને પછી એમણે જે કહ્યુ કે એ સાંભળીને મહિલાને ધમકાવનાર પોસ્ટમેન અવાક બની ગયા. પોસ્ટમેને કહ્યુ કે સર એ તો કોઈને નથી ખબર કે આ મહિલાનો પૌત્ર રઘુ હાલ જીવિત છે કે પછી એ પણ …!! આટલુ સાંભળીને પોસ્ટમેન કાપો તો લોહી ન નીકળે તેવા થઈ ગયા.

આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા

  કોરો કાગળ હાથમાં લઈ મહિલાને પોસ્ટમેને કહ્યુ કે ….

આખરે પોસ્ટમેનને તેમની ભૂલ સમજાઈ અને તેઓ એ મહિલાને શોધતા નીકળી પડ્યા. રસ્તામાં એમને એ મહિલા મળી ગયા ત્યારે એમણે એક કોરા કાગળમાંથી એક ભાવુક પત્ર વાંચી સંભળાવ્યો. એ કાગળમાં એકપણ શબ્દ અંકિત થયેલો ન હતો પોસ્ટમેને જે કહ્યુ એ એમના હ્રદયના ઉંડાણમાંથી આવેલા શબ્દો હતો અને એ શબ્દો હતા માનવતાના.. દેશ માટે સર્વોચ્ચ બલિદાન દેનારા પતિ, પુત્રને ગુમાવનાર ફૌજીની માતાને મદદરૂપ થવાની લાગણીને એ સમયે કદાચ કોઈ અક્ષરોની જરૂર ન હતી. શબ્દો એમ જ સરી પડ્યા. ભારતીય પોસ્ટ વિભાગે આ જાહેરાત દ્નારા સંદેશ આપ્યો છે કે તેમના માટે દરેક કાગળ, ચિઠ્ઠી કિમતી છે. ભલે આજે ટેકનોલોજીના જમાનામાં કોઈ પત્રો ન લખતુ હોય પરંતુ જે પત્રો પોસ્ટ વિભાગ પાસે આવે છે એમાં પણ શું ખબર કોઈના માટે જીવન જીવવા માટેનું લક્ષ્ય છુપાયેલુ હોય…

ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
g clip-path="url(#clip0_868_265)">