AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seema Haider Part 2: હવે પોલેન્ડની એક મહિલા 6 વર્ષની બાળકી સાથે પહોચી ભારત, ઝારખંડના યુવક સાથે કરશે લગ્ન

પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલેક કહે છે કે તે શાદાબ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી હતી. અમે ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું અને ક્યારે અમે પ્રેમમાં પડી ગયા એ ખ્યાલ જ ના રહ્યો. હવે આ 49 વર્ષની મહિલા શાદાબ સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ભારત આવી છે.

Seema Haider Part 2: હવે પોલેન્ડની એક મહિલા 6 વર્ષની બાળકી સાથે પહોચી ભારત, ઝારખંડના યુવક સાથે કરશે લગ્ન
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 11:42 AM
Share

આ દિવસોમાં દેશભરમાં સીમા હૈદરની લવ સ્ટોરીની ચારેબાજુ ચર્ચા છે. એટીએસ સતત તેની પૂછપરછ કરી રહી છે અને ઘણા લોકો સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડમાંથી આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં હજારીબાગનો એક યુવક પોલેન્ડની એક મહિલા સાથે પ્રેમમાં છે, જે તેની છ વર્ષની પુત્રી સાથે તેના ગામ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Seema Haider case : ન રજિસ્ટરમાં નામ, ન પશુપતિનાથ મંદિરમાં પ્રવેશનો ઉલ્લેખ, શું છે સીમા હૈદરના લગ્નનું રહસ્ય ?

પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલેક કહે છે કે તે શાદાબ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલી હતી. અમે ધીમે ધીમે વાત કરવાનું શરૂ કર્યું અને ક્યારે અમે પ્રેમમાં પડી ગયા એ ખ્યાલ જ ના રહ્યો. હવે આ 49 વર્ષની મહિલા શાદાબ સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તે ભારત આવી છે. તેણી કહે છે કે તે શાદાબ અને તેના ગામને ખૂબ પ્રેમ કરે છે અને હવે તે શાદાબ સાથે રહેવા માંગે છે.

લોકડાઉનમાં વાતચીત શરૂ થઈ

શાદાબ કહે છે કે લોકડાઉન દરમિયાન યુરોપમાં પોલેન્ડની રહેવાસી બાર્બરા પોલોક સાથે તેની વાતચીત થઈ હતી. ધીરે ધીરે મિત્રતા આગળ વધતી ગઈ અને હવે ભારત આવી ગઈ છે. તે કહે છે કે અમે બંને જલ્દી લગ્ન કરવા માંગીએ છીએ. ભારતમાં ખૂબ જ ગરમી પડે છે, તેથી શાદાબે બાર્બરા માટે બે એસી લગાવ્યા છે અને તેના માટે એક રંગીન ટીવી પણ ખરીદ્યું છે.

બાર્બરા છૂટાછેડા લીધેલી છે

બાર્બરા કહે છે કે શાદાબ ખૂબ જ સારા વ્યક્તિ છે અને તે તેની સાથે ખૂબ જ ખુશ છે. બંને સાથે રહેવા માંગે છે. મળતી માહિતી મુજબ, બાર્બરા પરિણીત છે અને તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. તેણીને તેના પહેલા લગ્નથી છ વર્ષની એક પુત્રી પણ છે, જે શાદાબને પિતા તરીકે બોલાવે છે. બાર્બરા હાલમાં શાદાબના પરિવાર સાથે સામાજિક વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ તેઓએ ઘરના કામમાં પણ મદદ કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ મામલાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ શાદાબના ઘરે પહોંચી ગઈ હતી. તેણે બાર્બરાનો પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">