જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

સુરક્ષા સમીક્ષાના ભાગરૂપે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે રાજૌરી-પૂંછ રોડ પર ભીંબર ગલીની મુલાકાત લેશે. જ્યાં 14 ઓક્ટોબરે આતંકવાદીઓ સાથેની ગોળીબાર કરતા ચાર સૈનિક શહિદ થઇ ગયા હતા.

જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ
Army Chief MM Naravane ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 8:15 AM

જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) વધતા જતા આતંકવાદી હુમલાને (Terrorist attacks) અટકાવવા માટે સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે (MM Naravane) જમ્મુ ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તે નિયંત્રણ રેખા સાથેના વધુ વિસ્તારોની મુલાકાત લેશે.આ જગ્યા પર સુરક્ષા દળો એક સપ્તાહથી આતંકવાદીઓના જૂથને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જેમાં અત્યાર સુધીમાં નવ સૈનિકો શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પણ બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષા સમીક્ષા દરમિયાન આર્મી ચીફ રાજૌરી-પૂંછ રોડ પર ભીંબર ગલીની મુલાકાત લેશે. જ્યાં 14 ઓક્ટોબરે આતંકવાદીઓ સાથેની ગોળીબારમાં ચાર સૈનિક શહિદ થઇ ગયા હતા.

બંને પક્ષો વચ્ચે પ્રથમ મુઠભેડ 11 ઓક્ટોબરે પૂંછ જિલ્લાના દેહરા ગલી વિસ્તારમાં થઇ હતી. જેમાં એક જેસીઓ સહિત પાંચ સેનાના જવાન શહીદ થયા હતા. છેલ્લા 17 વર્ષમાં આ પ્રદેશમાં આ સૌથી ઘાતક મુઠભેડ હતી. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં સૌથી લાંબી કામગીરી ચાલી રહી છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

સેનાએ ટ્વિટ કર્યું કે જનરલ નરવણે જનરલ ઓફિસર કમાન્ડિંગ, વ્હાઇટ નાઈટ કોર્પ્સ પાસેથી સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ અંગે અપડેટ મેળવશે અને જુદા-જુદા વિસ્તારોમાં રહેલ સૈનિકો અને કમાન્ડરો સાથે વાતચીત કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાટા દુરિયન વિસ્તારમાં આતંકવાદીઓને લોજિસ્ટિક્સ આપવાની શંકાના આધારે પોલીસે વધુ પાંચ ગ્રામજનોની અટકાયત કરી છે. આતંકવાદીઓને મારી નાખવાની કામગીરીમાં અત્યાર સુધી ઓછી સફળતા મળી છે. જોકે આતંકવાદીઓ નાસી ન જાય તે માટે પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે આ વિસ્તારને ઘેરી લીધો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જુદી જુદી દિશામાંથી ગોળીબાર થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે તે એક મોટું જૂથ છે. અગાઉ એવો અંદાજ હતો કે જૂથની સંખ્યા ચાર-પાંચની આસપાસ છે. સૂત્રોએ એ પણ સ્વીકાર્યું કે આતંકવાદીઓ ઉચ્ચ તાલીમ પામેલા છે. ચતુરાઈથી આગળ વધી રહ્યા છે અને ઓછામાં ઓછું ફાયરિંગ કરી રહ્યા છે. કોઈ ઉતાવળ પણ કરતા નથી.

જ્યારે સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે 11 અને 14 ઓક્ટોબરની ઘટનાઓમાં આ જ જૂથ સામેલ છે કે કેમ તે સ્પષ્ટ નથી, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓ સાથે કામ કરતા હોવાનું માનવામાં આવે છે અને સ્થાનો બદલ્યા છે. તેમણે કહ્યું કે ગુપ્તચર માહિતીને પગલે અમે છેલ્લા અઢી મહિનાથી આ વિસ્તારમાં આતંકવાદીઓના વિવિધ જૂથોનો પીછો કરી રહ્યા છીએ.

સેના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રાજૌરીના સામાન્ય વિસ્તારમાં ત્રણ એન્કાઉન્ટરમાં સામેલ હતી. 6 ઓગસ્ટના રોજ થાનમંડીના પંગાઈ જંગલમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. 19 ઓગસ્ટના રોજ તે જ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત બે જવાન શહીદ થયા હતા અને 13 સપ્ટેમ્બરે રાજૌરીના માંજકોટમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે રવિવારે ભીંબર ગલીની મુલાકાત લીધી હતી અને અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આતંકવાદીઓને જલ્દીથી ખતમ કરી દેવામાં આવશે. પૂંચ-સુરનકોટ-રાજૌરી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક હિસ્સો જે ગુરુવાર સાંજથી નાગરિક ટ્રાફિક માટે બંધ હતો. જો કે, સોમવારે તેને આંશિક રીતે ફરીથી ખોલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાની MCX માંથી એક્ઝિટ, અન્ય 4 સ્ટોક્સમાં પણ ઘટાડી હીસ્સેદારી

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">