લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉતારેલા આ સંત પાસે છે 3 કરોડની જંગી મિલકત, તેમ છતાં નથી તેમની પાસે પાન કાર્ડ
ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા એક સાધુ એવા પણ છે, જેમની પાસે 3 કરોડ રૂપિયાની સંપતિ તો છે પણ પાન કાર્ડ નથી. આ સાધુ સોલાપુર સીટના ઉમેદવાર જયસિધ્ધેશ્વર શિવાચાર્ય મહારાજ છે. 63 વર્ષીય ધાર્મિક ગુરૂ જયસિધ્ધેશ્વરની પાસે જંગમ મિલકત 6 લાખ 46 હજાર રૂપિયા છે. જ્યારે સ્થાવર મિલકત 2 કરોડ 72 લાખ રૂપિયાની […]
ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા એક સાધુ એવા પણ છે, જેમની પાસે 3 કરોડ રૂપિયાની સંપતિ તો છે પણ પાન કાર્ડ નથી. આ સાધુ સોલાપુર સીટના ઉમેદવાર જયસિધ્ધેશ્વર શિવાચાર્ય મહારાજ છે.
63 વર્ષીય ધાર્મિક ગુરૂ જયસિધ્ધેશ્વરની પાસે જંગમ મિલકત 6 લાખ 46 હજાર રૂપિયા છે. જ્યારે સ્થાવર મિલકત 2 કરોડ 72 લાખ રૂપિયાની છે. સોલાપુરની રિઝર્વ સીટથી કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદે અને વંચિત બહુજન આઘાડી નેતા પ્રકાશ આંબેડકરની વિરૂધ્ધ ભાજપની ટિકીટ પર ચૂંટણી લડવા માટે મેદાનમાં છે.
આ સાધુ મહારાષ્ટ્રના એકમાત્ર એવા લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે. જેમની પાસે પાન કાર્ડ નથી. સોલાપુર રિટર્નિગ અધિકારીને આપેલા સોંગદનામામાં જયસિધ્ધેશ્વર મહારાજે કહ્યું કે તેમને પાન કાર્ડ કઢાવ્યું નથી. ઈન્કમટેક્ષ રિટર્ન વિશે તેમને કહ્યું કે તે ઈન્કમટેક્ષના દાયરામાં આવતા નથી.
ચૂંટણી પંચથી જોડાયેલા એક અધિકારીએ પાન કાર્ડ ના હોવા વિશે કહ્યું કે જો કોઈની પાસે પાન કાર્ડ નથી તો પણ તે લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડી શકે છે. રેગ્યુલર કે ફિક્સ આવક નહી હોવાને લીધે તેમની પાસે પાન કાર્ડ નહી હોય.
આ પણ વાંચો: 3.5 લાખ શિક્ષકો ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, ચુકાદો આપતા SCએ આપ્યો મોટો ઝટકો
BHUથી અભ્યાસ કરવાવાળા શિવાચાર્ય મહારાજ લિંગાયત સમુદાયથી આવે છે. તેમને સિંટીગ સાંસદ શરદ બંસોડેની જગ્યાએ ભાજપ તરફથી લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]