સરકાર તોડવાના કાવતરાના આરોપ પર સચિન પાયલોટે આપ્યો જવાબ, ‘અશોક ગેહલોત અમારા વડીલ નેતા છે, તેમની વાતનું ખોટુ ના લગાડાય’

|

Jun 27, 2022 | 5:46 PM

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2020ના રાજકીય બળવાને લઈને પાયલટ પર નિશાન સાધ્યા બાદ પાયલટે પ્રતિક્રિયા આપી છે. પાયલોટે કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધીએ દિલ્લીમાં મારી 'ધીરજ'ની પ્રશંસા કરી હતી જેને કોઈએ બિનજરૂરી રીતે ના લેવી જોઈએ.

સરકાર તોડવાના કાવતરાના આરોપ પર સચિન પાયલોટે આપ્યો જવાબ, અશોક ગેહલોત અમારા વડીલ નેતા છે, તેમની વાતનું ખોટુ ના લગાડાય
Pilot's reply on Gehlot's allegations

Follow us on

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સચિન પાયલટના (Sachin Pilot) સંયમના વખાણ કર્યા બાદ રાજસ્થાનના રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. પાયલોટના વખાણ કર્યા બાદ જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot), 2020ના રાજકીય બળવા પર નિશાન સાધ્યું ત્યાં ગેહલોત જૂથના ઘણા મંત્રીઓએ પણ પાયલટ ઉપર નિશાન સાંધ્યુ હતું. હવે સચિન પાયલટે આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પાયલોટે કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દિલ્લીમાં મારી ‘ધીરજ’ની પ્રશંસા કરી હતી, જેને કોઈએ બિનજરૂરી રીતે ના લેવી જોઈએ. પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધીની પ્રશંસાને યોગ્ય ભાવનાથી લેવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ પોતે મારા સંયમની પ્રશંસા કરી છે ત્યારે હવે મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું નથી.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ સચિન પાયલોટ અંગે વખાણ કર્યા બાદ, અશોક ગેહલોતે 2020ને યાદ કરીને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પર સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ રાજ્યમાં નિવેદનોનો સિલસિલો શરૂ થયો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હું મુખ્યમંત્રીના શબ્દોને અપમાનજનક નથી લેતો: પાયલોટ

બીજી તરફ પાયલટને ગેહલોતના હુમલા અંગે પૂછવા પર તેમણે વધુમાં કહ્યું કે 2020માં મારા વિશે આવી વાતો અયોગ્ય, નકામી કહેવાતી હતી, હવે અશોક ગેહલોત અમારા વૃદ્ધ નેતા છે, અનુભવી છે અને મારા પિતા જેવા છે. પાયલોટે કહ્યું કે તેઓ જે કાંઈ બોલે છે, તેમના શબ્દોને વિરુદ્ધ નથી લેતો. માનવામાં આવી રહ્યું છે કે પાયલટ નિવેદનોની આડમાં ફરી એકવાર આગળ વધતો જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંધીએ પાયલટની પ્રશંસા કરી હતી

જણાવી દઈએ કે ભૂતકાળમાં EDની પૂછપરછ વિશે જણાવતા રાહુલ ગાંધીએ સચિન પાયલટના સંયમના વખાણ કર્યા હતા, ત્યારબાદ રાજસ્થાનમાં ગેહલોત જૂથના નેતાઓ ફરી એકવાર પાયલટ ઉપર શાબ્દિક હુમલો કરતા જોવા મળી રહ્યા છે.  મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2020ના રાજકીય વિદ્રોહને યાદ કરીને સચિન પાયલટ પર નિશાન સાધ્યું. સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં ગેહલોતે કહ્યું કે સચિન પાયલટ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મળીને કોંગ્રેસ સરકારને તોડી પાડવાના ષડયંત્રમાં સામેલ હતા.

Next Article