AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UNSCમાં ભારતે ‘બૂચા હત્યાકાંડ’ ની કરી આકરી નિંદા, સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કહ્યું કે રશિયન સૈન્યએ (Russian army) કરેલા યુદ્ધ અપરાધો સામે યોગ્ય પગલા લેવામાં આવે.

UNSCમાં ભારતે 'બૂચા હત્યાકાંડ' ની કરી આકરી નિંદા, સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:34 AM
Share

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ‘બુચા હત્યાકાંડ’ની સખત નિંદા કરી. UNSCમાં ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ (Indian representative TS Tirumurti at UNSC) જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિમાં (Ukraine) કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. બૂચામાં (Bucha) નાગરિકોના મૃત્યુના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. અમે સ્પષ્ટપણે આ હત્યાઓની નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન આપીએ છીએ. તિરુમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી પુરવઠો, દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી મોકલી રહ્યું છે. અમે આવનારા સમયમાં યુક્રેનને વધુ મદદ આપવા માટે તૈયાર છીએ.

તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન સંકટની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ઘણા વિકાસશીલ દેશોમાં ખોરાક, ઉર્જાના ભાવમાં વધારો થયો છે.ઉપરાંત ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સતત બગડતી પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાના તેના આહ્વાનને પુનરાવર્તિત કરે છે. અમે યુદ્ધની શરૂઆતથી જ કૂટનીતિ અને સંવાદના માર્ગને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઝેલેન્સકીએ UNSCમાં રશિયન સૈન્ય પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો

તમને જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કહ્યું કે રશિયન સૈન્યએ (Russian army) કરેલા યુદ્ધ અપરાધો સામે યોગ્ય પગલા લેવામાં આવે. તેમના વીડિયો સંબોધનમાં, ઝેલેન્સકીએ રશિયન સૈનિકો પર બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી ઘાતકી અત્યાચારનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ ઇસ્લામિક સ્ટેટ જૂથ જેવા આતંકવાદીઓથી અલગ નથી. યુક્રેનના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને બુચામાંથી સામે આવેલી ભયાનક તસવીરોએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને યુદ્ધના ગુનાઓ માટે રશિયા સામે ટ્રાયલ અને કડક પ્રતિબંધોની માંગણી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેધરલેન્ડ પ્રવાસે, ટ્યૂલિપ ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">