AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકીનો દાવો – અફઘાનિસ્તાનમાં ISISની હિંસક ગતિવિધિઓ પર લાગી રોક, કોઈ હુમલા થઈ શક્યા નથી

તાલિબાને સોમવારે દાવો કર્યો હતો કે, તેણે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની હિંસક ગતિવિધિઓને રોકી દીધી છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, ચીની મીડિયા સાથે વાત કરતા તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ દાવો કર્યો હતો.

તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકીનો દાવો - અફઘાનિસ્તાનમાં ISISની હિંસક ગતિવિધિઓ પર લાગી રોક, કોઈ હુમલા થઈ શક્યા નથી
Taliban Foreign Minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 5:35 PM
Share

તાલિબાને (Taliban) સોમવારે દાવો કર્યો હતો કે, તેણે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની હિંસક ગતિવિધિઓને રોકી દીધી છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, ચીની મીડિયા સાથે વાત કરતા તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ (Amir Khan Muttaqi) દાવો કર્યો હતો કે, તાજેતરના મહિનાઓમાં ISIS દેશમાં કોઈ હુમલો કરવામાં સક્ષમ નથી. તેમણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતી અન્ય કોઈ દેશ માટે ખતરો નહીં હોય.

છેલ્લા ચાર મહિનામાં ISISનું કોઈ ઓપરેશન થયું નથી. અમે કહી શકીએ કે અફઘાનિસ્તાન અત્યારે એક સુરક્ષિત દેશ છે અને અમે વિશ્વને આપેલા વચનો માટે પ્રતિબદ્ધ છીએ. અમારો સંકલ્પ છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. ચીનના વર્તમાન અફઘાન સરકાર સાથે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. તેની પાછળનું એક કારણ એ છે કે, તાલિબાન રાજદ્વારીઓને ચીનની સરકારે સ્વીકારી લીધા છે. જો કે, બેઇજિંગે હજુ સુધી તાલિબાનને ઔપચારિક રીતે માન્યતા આપી નથી.

વિદેશ મંત્રીએ ચીનની મુલાકાતને સકારાત્મક ગણાવી

મુત્તાકીએ તેમની તાજેતરની ચીનની મુલાકાતને સકારાત્મક ગણાવી હતી. માર્ચના અંતમાં કેરટેકર મિનિસ્ટર મુત્તાકીના નેતૃત્વમાં તાલિબાનના પ્રતિનિધિમંડળે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ વિદેશના ટોચના રાજદ્વારીઓ અને રાજદૂતો સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી હતી. ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, આ બેઠક સકારાત્મક હતી. અમે આશા રાખીએ છીએ કે આવી બેઠકો સારા પરિણામ લાવશે અને અફઘાન લોકો સારા સમાચાર સાંભળી શકશે.

રોકાણની સુવિધા માટે આર્થિક નીતિની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો

ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો કે, તેમણે અફઘાનિસ્તાનમાં રોકાણને સરળ બનાવવા માટે આર્થિક નીતિની તાલિબાનની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો. રાજકીય નિષ્ણાત જાવેદ સંગદિલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં મોટી સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી મોટા આર્થિક પ્રોજેક્ટ્સમાં અફઘાનિસ્તાનની હાજરી શક્ય બનશે નહીં.

આ પણ વાંચો: GPAT Admit Card 2022: ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: CLAT Exam 2022: CLAT પરીક્ષા જૂનમાં લેવામાં આવશે, અહીં તપાસો પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">