વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 22 નવેમ્બર 2022ના રોજ 10 લાખ ભરતી માટે શરૂ થયેલા રોજગાર મેળા અંતર્ગત લગભગ 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં આ જાણકારી આપી. પીએમઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો ઓક્ટોબરમાં શરૂ થયો હતો. ત્યારબાદ પીએમે 75 હજાર યુવાનોને નોકરીના પત્રો આપ્યા હતા.
પીએમઓએ કહ્યું કે રોજગાર મેળો એ યુવાનોને નોકરીની તકો અને ભરતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તે જ સમયે, તે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
PMOએ કહ્યું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય દેશમાં 45 સ્થળોએ નિયુક્ત કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. ગત વખતે જે કેટેગરીમાં યુવાનોની નિમણૂક કરવામાં આવી હતી તે સિવાય આ વખતે એટલે કે બીજા તબક્કામાં શિક્ષક, લેક્ચરર, નર્સ, નર્સિંગ ઓફિસર, ડોક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય ટેકનિકલ અને પેરા મેડિકલ પોસ્ટ પર પણ નિમણૂક કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આ વખતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ કેન્દ્રીય દળોમાં પણ મોટી સંખ્યામાં યુવાનોની નિમણૂક કરવામાં આવી છે. કયા શહેરોના યુવાનોને રોજગારી મળી રહી છે?
આ અવસર પર, પ્રધાનમંત્રી નવા નિયુક્ત કર્મચારીઓ માટે આયોજિત થનાર ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ ‘કર્મયોગી પ્રરંભ’ પણ શરૂ કરશે. આમાં સરકારી કર્મચારીઓ માટે આચારસંહિતા, કાર્યસ્થળની નૈતિકતા અને અખંડિતતા, માનવ સંશાધન નીતિઓ અને અન્ય લાભો અને ભથ્થાં સંબંધિત માહિતી શામેલ હશે. આનાથી તેમને નીતિઓ અનુસાર નવી ભૂમિકાને સરળતાથી સ્વીકારવામાં મદદ મળશે.
પીએમઓએ કહ્યું કે નવા ભરતી કરાયેલા કર્મચારીઓને તેમના જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓ વિકસાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર અન્ય અભ્યાસક્રમો શોધવાની તક પણ મળશે. આ માટે એક વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ તમામ મંત્રાલયો અને વિભાગોને વહેલી તકે મંજૂર પોસ્ટ્સની હાલની ખાલી જગ્યાઓ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.
Published On - 8:25 am, Tue, 22 November 22