Breaking News : રમખાણો દેશના દુશ્મન છે… રામનવમીના દિવસે હાવડામાં થયેલી હિંસામાં મમતા બેનર્જીનું નિવેદન

બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. હાવડામાં થયેલી હિંસા પર બંગાળની મુખ્યમંત્રી મમાતનું નિવેદન સામે આવ્યું છે.

Breaking News : રમખાણો દેશના દુશ્મન છે... રામનવમીના દિવસે હાવડામાં થયેલી હિંસામાં મમતા બેનર્જીનું નિવેદન
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:24 PM

ભગવાન રામની જન્મજયંતિ એટલે કે રામનવમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી. ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તે જ સમયે બંગાળના હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જ સંભાળ્યો હતો. હાવડામાં થયેલી હિંસા પર બંગાળની મુખ્યમંત્રી મમાતનું નિવેદન સામે આવ્યું છે.

હાવડામાં થયેલા પથ્થરમારા, હિંસા અને આગની ઘટના પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિદેવન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મારા આંખ-કાન ખુલ્લા છે. મને બધું દેખાય છે. મેં પહેલા જ ચેતવણી આપી હતી. મુસ્લિમ વિસ્તારમાંથી યાત્રા ન નીકાળશો. મેં પહેલા જ કહ્યું હતું કે નામનવમી પર રેલી કાઢશો તો આવી હિંસા થઈ શકે છે. તેમણે હિંદૂ સંગઠનો પર હિંસાનો આરોપ લગાવતા કહ્યું કે , આ રમઝાનનો સમય છે. આ સમયે મુસ્લિમો કોઈ ખોટું કામ નહીં કરી શકે. શોભાયાત્રામાં બુલડોઝર અને તલવાર લઈને આવવાની પરવાનગી કોણે આપી હતી. રમખાણો એ દેશ માટે દુશ્મન સમાન છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

અમિત માલવિયાનું ટ્વિટ

ભાજપનો સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય ઈન્ચાર્જ અને બંગાળમાં ભાજપના સહપ્રભારી અમિત માલવિયાએ હાવડા હિંસા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

દેશમાં રામ નવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા ભડકી હતી. આ દરમિયાન ગુજરાતના વડોદરાના ફતેપુરામાં રામ નવમીના તહેવાર નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. પોલીસે તોફાની તત્વોનો પીછો કરવા માટે લાઠી બળનો પણ ઉપયોગ કર્યો હતો.

હાવડામાં વાહનોને આગ લગાડવામાં આવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાવડામાં સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર ઉભેલા વાહનો સળગ્યા હતા. આ હિંસામાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, પોલીસે આ કેસમાં 17 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ બાંકુરામાં સરઘસ રોકવા પર હંગામો થયો હતો. ચુસ્ત પોલીસ બસ સ્થળ પર તૈનાત છે.

વડોદરાની શોભાયાત્રા પર પથ્થરમારો

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો છે. તેમજ તોફાની તત્ત્વોને ભગાડયા છે.વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. તેમજ સ્થિતી પર કડક હાથે કાબુ લેવા સુચના આપવામાં આવી છે. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ કર્યો છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ શહેરમાં વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી પોલીસ બોલાવાયો  છે.

આ પૂર્વે આજે, વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">