ઉતરપ્રદેશના આગરાથી મધ્યપ્રદેશના પન્ના જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ, 34 મુસાફરો સાથે ચાર વ્યક્તિઓએ હાઈજેક કરી છે. બસના ડ્રાઈવર અને ક્લિનરને રસ્તામાં ઉતારી નાખીને, અપહરણકારોએ 34 મુસાફરો ભરેલ બસ સતત 12 કલાક સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા રહ્યાં. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો ખુલી હતી કે આ સમગ્ર મામલો ફાયનાન્સ અને ટ્રાવેલ્સ […]
Follow us on
ઉતરપ્રદેશના આગરાથી મધ્યપ્રદેશના પન્ના જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ, 34 મુસાફરો સાથે ચાર વ્યક્તિઓએ હાઈજેક કરી છે. બસના ડ્રાઈવર અને ક્લિનરને રસ્તામાં ઉતારી નાખીને, અપહરણકારોએ 34 મુસાફરો ભરેલ બસ સતત 12 કલાક સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતા રહ્યાં. પોલીસે હાથ ધરેલ તપાસમાં એવી વિગતો ખુલી હતી કે આ સમગ્ર મામલો ફાયનાન્સ અને ટ્રાવેલ્સ કંપની વચ્ચેનો છે. ફાયનાન્સ કંપની પાસેથી લીધેલ લોનના નાણા સમયે પુરા નહી ભરાપાઈ કરી શકાતા રિકવરી એજન્ટો બસમાં ઘૂસી જઈને બસને હાઈજેક કરી હતી. પોલીસે ફાયનાન્સ કંપની અને રીકવરી એજન્ટ સામે કેસ નોંધી મુસાફરો ભરેલ બસને પરત લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃગુજરાતમાં વરસાદથી ધોવાઈ ગયેલા 186 રસ્તાઓ હજુ પણ બંધ