Rajiv Gandhi Death Anniversary 2021: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ

Rajiv Gandhi Death Anniversary 2021: 21 મે એટલે કે આજે પૂર્વપ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 30 મી પુણ્યતિથિ છે. આજના દિવસને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

Rajiv Gandhi Death Anniversary 2021: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ
Follow Us:
| Updated on: May 21, 2021 | 12:09 PM

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની પુણ્યતિથિ છે. તેમની આ 30મી પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસે પોતાના પરતી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે આજના દિવસને સેવા અને સદ્દભાવનાના રૂપે ઉજવવામાં આવે. કોંગ્રેસે કાર્યકર્તાઓને આજના દિવસ નિમિતે કોરોનાની મુશીબત સામે લડી રહેલા લોકોની મદદ કરવા અપીલ કરી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીની 30 મી પુણ્યતિથિ (Rajiv Gandhi Death Anniversary) પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પાર્ટી મહામંત્રી પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પણ તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે.

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીની તસવીર શેર કરતા લખ્યું ‘સત્ય, કરુણા, પ્રગતિ”. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રિયંકાએ તેમની તસ્વીર સાથે મેસેજ આપ્યો છે કે “પ્રેમ કરતા મોટી કોઈ શક્તિ નથી, દયાથી મોટું કોઈ સાહસ નથી, કરુણાથી મોટી કોઈ શક્તિ નથી અને વિનમ્રતા કરતા મોટો કોઈ ગુરુ નથી.”

આત્મઘાતી હુમલામાં થઇ હતી હત્યા

21 મે 1991 ની રાત્રે તમિલનાડુના શ્રીપેરમ્બુદુર ખાતે ચૂંટણી સભા ચાલી રહી હતી. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. સભા સરમીયાન એક આત્મઘાતી બોમ્બર મહિલા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ઘટનામાં બોમ્બર મહિલા સહીત અન્ય 14 લોકો માર્યા ગયા હતા. સંભવત: આ એવો પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં કોઈ મોટા નેતાની હત્યા થઇ હોય.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ

આજના દિવસે એટલે કે 21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. તમિળનાડુમાં આતંકીઓ દ્વારા તેની હત્યા બાદ વી.પી. સિંઘ સરકારે 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.

સદ્દભાવના અને સેવાના દિવસ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય

કોંગ્રેસે (Congress) રાજીવ ગાંધીની આ 30મી પુણ્યતિથિને સદ્દભાવના અને સેવાના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દેશ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે દેશના લોકો દુઃખ અને પરેશાનીમાં છે. 21 મેના રોજ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિતે સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ હશે કે કોરોના કાળમાં સામાન્ય લોકોના જીવ બચાવવામાં આવે.

આ પણ વાંચો: Coronavirus: કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધારે પ્રભાવિત કરે તે જરુરી નથી, AIIMSનાં ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કર્યો ખુલાસો

આ પણ વાંચો: David Warner: દક્ષિણના ફિલ્મી ગીત ‘રાઉડી બેબી’ માં અભિનેતા ધનુષને બદલે ડેવિડ વોર્નર ! જોઈને હસી પડશો

Latest News Updates

સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ