રાજસ્થાનનું રાજકારણ: અશોક ગેહલોતના ગદ્દાર વાળા નિવેદન પર સચિન પાયલોટનો પલટવાર, કહ્યુ આરોપો નિરાધાર

સચિન પાયલટે (Sachin Pilot)કહ્યું કે અશોક ગેહલોતે મને નક્કામો અને ગદ્દાર કહ્યો, આ પાયાવિહોણા આરોપો છે. આની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપને ખરાબ રીતે પરાજય મળ્યો હતો.

રાજસ્થાનનું રાજકારણ: અશોક ગેહલોતના ગદ્દાર વાળા નિવેદન પર સચિન પાયલોટનો પલટવાર, કહ્યુ આરોપો નિરાધાર
CM Ashok Gehlot and Sachin Pilot. (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 7:00 AM

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના નેતા સચિન પાયલટ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. પાયલોટે ગેહલોતની ‘ગદ્દાર’ વાતનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતે મને નક્કામો કહ્યો, ગદ્દાર કહ્યો, આ પાયાવિહોણા આરોપો છે. આની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપને ખરાબ રીતે પરાજય મળ્યો હતો. તેમ છતાં કોંગ્રેસ અધ્યક્ષે ગેહલોતને સીએમ બનવાની બીજી તક આપી.

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, પાયલટે કહ્યું કે આજે પ્રાથમિકતા એ હોવી જોઈએ કે આપણે ફરીથી રાજસ્થાન ચૂંટણી કેવી રીતે જીતી શકીએ. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ નેતા સચિન પાયલટને ગદ્દાર જાહેર કર્યા હતા. ખાસ વાત એ છે કે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ગેહલોતના આ નિવેદનથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વધતો જોવા મળી રહ્યો છે.

‘પાયલોટ પર પણ સરકારને પછાડવાનો આરોપ’

ગેહલોતે કહ્યું કે પાયલટે 2020માં પાર્ટી સામે બળવો કર્યો હતો અને ગેહલોતની આગેવાનીવાળી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં. ગેહલોતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની પણ બળવામાં ભૂમિકા હતી જ્યારે પાઇલટની આગેવાનીમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામના એક રિસોર્ટમાં એક મહિનાથી વધુ સમય સુધી રોકાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રાજસ્થાનના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે પાયલોટ સહિત દરેક ધારાસભ્યને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જો પાર્ટી હાઈકમાન્ડ ઈચ્છે તો 102 ધારાસભ્યોમાંથી પાયલોટ સિવાય કોઈને પણ તેમની જગ્યાએ મુખ્યમંત્રી બનાવી શકે છે. ગેહલોતે વાતચીતમાં કહ્યું હતું કે, જેણે બળવો કર્યો અને જેને દેશદ્રોહી કહેવામાં આવે તેને ધારાસભ્ય ક્યારેય સ્વીકારશે નહીં.

‘ગેહલોત વરિષ્ઠ અને અનુભવી રાજકારણી છે’

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અશોક ગેહલોત વરિષ્ઠ અને અનુભવી રાજનેતા છે. તેમણે તેમના યુવા સાથીદાર સચિન પાયલટ સાથે જે પણ મતભેદો વ્યક્ત કર્યા છે, તેઓને એ રીતે ઉકેલવામાં આવશે કે કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત બને. આ સમયે, દરેક કોંગ્રેસ કાર્યકરની ફરજ છે કે તે પહેલાથી જ અસાધારણ રીતે સફળ ભારત જોડો યાત્રાને ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ અસરકારક બનાવે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">