AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં 'વંદે ભારત સ્લીપર' શરૂ કરવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર
Vande Bharat Sleeper
| Updated on: Jun 15, 2024 | 8:38 PM
Share

તહેવારોની સિઝન હોય કે ઉનાળાની રજાઓ કે પછી લગ્નની સિઝનમાં ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટનો. ભારતીય રેલવે આ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ત્યારે શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે કે માત્ર 2 મહિનામાં જ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન દેશમાં દોડવા લાગશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં ‘વંદે ભારત સ્લીપર’ શરૂ કરવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘વંદે ભારત સ્લીપર’ હવે તૈયાર છે. હાલમાં 2 ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને ટ્રેનો પર આગામી 6 મહિના સુધી ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારપછી આ ટ્રેનોને સામાન્ય સેવા માટે શરૂ કરી શકાશે. હાલમાં વંદે ભારત સ્લીપર માટે 4 કોચનો મૂળભૂત ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, સરકાર આગામી પાંચ વર્ષમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનને ટ્રેક પર લાવવાની યોજના ધરાવે છે. વંદે ભારત ટ્રેનમાં કોઈ અલગ એન્જિન નથી બલ્કે તે ટ્રેનના સેટનો એક ભાગ છે. આ ટ્રેનને ઝડપી ગતિએ ચલાવવામાં મદદ કરે છે. તો તેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે.

રેલવે વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવેના પ્રયાસો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આ વખતે ભીડને ઓછી કરવા માટે ઉનાળાની સીઝનમાં ટ્રેનોની 19,837 ટ્રીપ વધારવામાં આવી છે. આ વખતે ઉનાળાની સિઝનમાં લગભગ ચાર કરોડ વધારાના લોકોએ પ્રવાસ કર્યો છે. સરકારનું ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર છે. છેલ્લા દસ વર્ષમાં હજારો કિલોમીટર નવી લાઈનો નાખવામાં આવી છે. દેશમાં દરરોજ લગભગ 14.5 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે રેલવે ટ્રેક 1,29,000 કિલોમીટરનો ટ્રેક છે. તમિલનાડુમાં રેલવેનો સૌથી વધુ વિકાસ થઈ રહ્યો છે. તમિલનાડુને રૂ. 6,321 કરોડના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે. બુલેટ ટ્રેન અંગે તેમણે કહ્યું કે તેનો 310 કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">