AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં 'વંદે ભારત સ્લીપર' શરૂ કરવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, 2 મહિનામાં જ શરૂ થશે વંદે ભારત સ્લીપર
Vande Bharat Sleeper
| Updated on: Jun 15, 2024 | 8:38 PM
Share

તહેવારોની સિઝન હોય કે ઉનાળાની રજાઓ કે પછી લગ્નની સિઝનમાં ભારતીયોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટનો. ભારતીય રેલવે આ માટે સતત પ્રયાસો કરી રહી છે, જેમાં વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ત્યારે શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે કે માત્ર 2 મહિનામાં જ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન દેશમાં દોડવા લાગશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર ટ્રેનોમાં વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આગામી 60 દિવસમાં ‘વંદે ભારત સ્લીપર’ શરૂ કરવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘વંદે ભારત સ્લીપર’ હવે તૈયાર છે. હાલમાં 2 ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને ટ્રેનો પર આગામી 6 મહિના સુધી ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારપછી આ ટ્રેનોને સામાન્ય સેવા માટે શરૂ કરી શકાશે. હાલમાં વંદે ભારત સ્લીપર માટે 4 કોચનો મૂળભૂત ટ્રેન સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, સરકાર આગામી પાંચ વર્ષમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનને ટ્રેક પર લાવવાની યોજના ધરાવે છે. વંદે ભારત ટ્રેનમાં કોઈ અલગ એન્જિન નથી બલ્કે તે ટ્રેનના સેટનો એક ભાગ છે. આ ટ્રેનને ઝડપી ગતિએ ચલાવવામાં મદદ કરે છે. તો તેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવવામાં આવી છે.

રેલવે વેઈટિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે રેલવેના પ્રયાસો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આ વખતે ભીડને ઓછી કરવા માટે ઉનાળાની સીઝનમાં ટ્રેનોની 19,837 ટ્રીપ વધારવામાં આવી છે. આ વખતે ઉનાળાની સિઝનમાં લગભગ ચાર કરોડ વધારાના લોકોએ પ્રવાસ કર્યો છે. સરકારનું ફોકસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર છે. છેલ્લા દસ વર્ષમાં હજારો કિલોમીટર નવી લાઈનો નાખવામાં આવી છે. દેશમાં દરરોજ લગભગ 14.5 કિલોમીટર રેલવે ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે રેલવે ટ્રેક 1,29,000 કિલોમીટરનો ટ્રેક છે. તમિલનાડુમાં રેલવેનો સૌથી વધુ વિકાસ થઈ રહ્યો છે. તમિલનાડુને રૂ. 6,321 કરોડના રેલવે પ્રોજેક્ટ મળ્યા છે. બુલેટ ટ્રેન અંગે તેમણે કહ્યું કે તેનો 310 કિલોમીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">