Railway Budget 2021: રેલ્વે માટે નાણા મંત્રીએ રૂ. 1,10,055 કરોડની ફાળવણી કરી
Railway Budget 2021: કોરોનાકાળમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રેલ્વેના આધુનિકરણ માટે બજેટમાં નાણાની ફાળવણી કરી હતી. રેલ્વે મંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 1, 10, 055 કરોડની ફાળવણી કરી છે.
Railway Budget 2021: કોરોનાકાળમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રેલ્વેના આધુનિકરણ માટે બજેટમાં નાણાની ફાળવણી કરી હતી. રેલ્વે મંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 1, 10, 055 કરોડની ફાળવણી કરી છે.
રષ્ટ્રીય રેલ્વે પરિયોજના 2030 થી શરૂ થશે. 1,10,055 કરોડની ફાળવણી ટ્રેનમાં લકઝરી કોચ લગાવવામાં આવશે મેટ્રો રેલ માટે 11,000 કરોડ ફાળવવામાં આવ્યા
ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર બનાવવામાં આવશે
ચેન્નઈ અને બેંગલોરમાં મેટ્રો ટ્રેન શરૂ કરાશે
રેલ્વે ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે
હાલ ભારતીય રેલ્વે ૬૬૨૨૨ માલવાહક અને ૧૩૩૧૩ પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ દરરોજ લગભગ બે કરોડ 20 લાખ મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.