રાહુલ ગાંધીના લેહ લદ્દાખ પ્રવાસના દિવસો અચાનક વધારવામાં આવ્યા, 25 ઓગસ્ટ સુધી રહેશે પ્રવાસે, જાણો કારણ

રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના નેતાઓની વાત માનીએ તો રાહુલ લેહ લદ્દાખમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા એકતાનો મંત્ર પણ આપશે.

રાહુલ ગાંધીના લેહ લદ્દાખ પ્રવાસના દિવસો અચાનક વધારવામાં આવ્યા, 25 ઓગસ્ટ સુધી રહેશે પ્રવાસે, જાણો કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 7:00 AM

Leh: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો (Leh Ladakh) તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે 25 ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી લેહ લદ્દાખની એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. લેહમાં ફૂટબોલ મેચ પણ જોશે. રાહુલ પોતે પણ કોલેજકાળમાં ફૂટબોલર રહી ચૂક્યા છે. ફૂટબોલ રમતી વખતે તેમને ઘૂંટણની ઈજા થઈ હતી જે હજુ પણ તેમને પરેશાન કરે છે. સમયે સમયે રાહુલ પોતે ઈજાનો ઉલ્લેખ કરતા રહે છે.

આ પછી 25 ઓગસ્ટે હિલ કાઉન્સિલની ચૂંટણીને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે જેમાં રાહુલ ગાંધી પણ ભાગ લેશે. રાહુલ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ જ લેહ લદ્દાખ જવા માંગતા હતા, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તેઓ જઈ શક્યા ન હતા અને ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી. હવે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેઓ લેહ લદ્દાખ પહોંચ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: Uttarakhand News: ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર ટુ-વ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે

રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના નેતાઓની વાત માનીએ તો રાહુલ લેહ લદ્દાખમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા એકતાનો મંત્ર પણ આપશે. આ પછી 19 ઓગસ્ટે તેઓ ડુબરા વેલીની પણ મુલાકાત લેશે.

ગુરુવારે લેહ એરપોર્ટ પર પહોંચતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના ઘણા કાર્યકરો નારા લગાવતા જોવા મળ્યા હતા અને બીજી તરફ લોકો સાથે હાથ જોડીને અભિવાદન સ્વીકારતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના પ્રવાસમાં અચાનક વધારો થયો છે. પહેલા તેઓ લેહ લદ્દાખમાં માત્ર બે દિવસ રોકાવાના હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમનો પ્રવાસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">