AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે

Rahul Gandhi: રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, 'મોદીજી ન તો સાચું બોલે છે, ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડના સમયગાળા દરમિયાન સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે.

કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે
PM Modi and Rahul Gandhi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 1:54 PM
Share

ભારતમાં કોરોના વાઈરસ રોગને કારણે થયેલા મૃત્યુનું મૂલ્યાંકન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Health and Family Welfare) ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખના જવાબમાં આ વાંધો ઉઠાવ્યો છે, જેમાં લખવામાં આવ્યું હતું કે ભારત WHOના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, જેથી કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા જાહેર ન થાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ લેખને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે, સાથે જ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘મોદીજી ન તો સાચું બોલે છે, ન તો બોલવા દે છે. તેઓ હજુ પણ જૂઠું બોલે છે કે ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડના સમયગાળા દરમિયાન સરકારની બેદરકારીને કારણે 5 લાખ નહીં, પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. મોદીજી તમારી ફરજ બજાવો, દરેક પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપો.

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ

સ્વાસ્થ્ય મંત્રાલયે WHOને શું કહ્યું?

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશ અને નાની વસ્તી ધરાવતા અન્ય દેશો માટે ભૂગોળ અને વસ્તીના સંદર્ભમાં કોવિડ મૃત્યુ દરની ગણતરી કરવા માટે સમાન ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાતો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે WHOના અંદાજો દર્શાવે છે કે ભારતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ઓછામાં ઓછો 40 લાખ છે, જે સત્તાવાર સંખ્યા કરતા લગભગ આઠ ગણો છે.

ભારતે WHOના મોડલમાં ખામીઓ દર્શાવી

આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભારતનો મૂળ વાંધો પરિણામ પર નથી, પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે છે અને છ પત્રો અને વર્ચ્યુઅલ મીટિંગ્સ સહિત શ્રેણીબદ્ધ ઔપચારિક સંદેશાવ્યવહાર દ્વારા પદ્ધતિ વિશે તેમની ચિંતાઓ શેયર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અન્ય સભ્ય દેશો – ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજિપ્ત સાથે ભારત દ્વારા ડેટાની અનૌપચારિક ઉપયોગની પદ્ધતિ અને ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: કોંગ્રેસથી નારાજગીની વાતો વચ્ચે હાર્દિક પટેલને દિલ્લીનું તેડૂ, દિલ્લીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણો કરે તેવી શક્યતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">