AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી ? લંડનમાં રાહુલ ગાંધીએ શું કહ્યુ હતું જુઓ Video

લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે ભારત વિશે અભિપ્રાય આપ્યો હતો, જેમાં તેમણે લોકશાહીના મૂળને નબળા કરવા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. આરોપ છે કે તેમણે લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી.

લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી ? લંડનમાં રાહુલ ગાંધીએ શું કહ્યુ હતું જુઓ Video
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 1:45 PM
Share

કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી બોલે છે ત્યારે હોબાળો મચી જાય છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે ભારત વિશે અભિપ્રાય આપ્યો હતો, જેમાં તેમણે લોકશાહીના મૂળને નબળા કરવા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. આરોપ છે કે તેમણે લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી. જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના નિવેદનને ખોટા સંદર્ભ અને શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Breaking News: રાહુલ ગાંધીનો મોટો સવાલ, અદાણી પાસે 20,000 કરોડ રૂપિયા ક્યાથી આવ્યા ?

આ બધાની વચ્ચે એવા સમાચાર છે કે તેમણે વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની સામે લંડનની મુલાકાત પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે કહ્યું કે તેમણે કોઈ ત્રીજા દેશની દખલગીરીની વાત નથી કરી, માત્ર દેશમાં લોકતંત્રની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ તેમણે કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે અને તેનો ઉકેલ શોધીશું.

રાહુલ ગાંધીની સંસદમાં સ્પીચ

રાહુલ ગાંધીએ લંડનમાં શું કહ્યું હતુ

પોતાની સ્પષ્ટતામાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે દેશમાં લોકતંત્રની સ્થિતિ પર જ સવાલ ઉઠાવ્યા છે. G20ના ભારતના અધ્યક્ષપદ માટે બોલાવવામાં આવેલી વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે અને અમે તેનો ઉકેલ લાવીશું.’ શરૂઆતના સત્રમાં રાહુલ ગાંધીએ કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ અંતે તેમણે ઘણા વિષયો પર બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અન્ય સાંસદોએ પણ સંદર્ભ બહારની વાત કરી હતી. આ અંગે ભાજપના સાંસદોએ તેમને અટકાવ્યા હતા અને અન્ય વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધીની લંડનમાં સ્પીચ

રાહુલ ગાંધીએ લોકશાહીથી લઈને વિપક્ષનો અવાજ દબાવવા સુધીના અનેક આરોપો લગાવ્યા હતા. રાહુલે લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ પણ હતું. મને અધિકારીઓએ ફોન પર ધ્યાનથી વાત કરવાની સલાહ આપી હતી. કારણ કે ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, ‘ભારતમાં લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એવા કેસોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">