ED તરફથી રાહત મળતાં જ સક્રિય થયા ‘પુત્ર’ રાહુલ ગાંધી, બીમાર માતા સોનિયાની સંભાળ લેવા માટે હોસ્પિટલમાં જ કરશે રાત્રિ રોકાણ

|

Jun 17, 2022 | 6:33 AM

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાથી (Corona) સંક્રમિત થયા બાદ હાલ હોસ્પિટલમાં દાખલ છે. જેને ટાંકીને રાહુલ ગાંધીએ EDને પૂછપરછ ત્રણ દિવસ માટે મુલતવી રાખવાની વિનંતી કરી હતી. ED તરફથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી પુત્ર તરીકેની જવાબદારી નિભાવવા સક્રિય થઈ ગયા છે.

ED તરફથી રાહત મળતાં જ સક્રિય થયા પુત્ર રાહુલ ગાંધી, બીમાર માતા સોનિયાની સંભાળ લેવા માટે હોસ્પિટલમાં જ કરશે રાત્રિ રોકાણ
Sonia Gandhi & Rahul Gandhi (File Image)

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત આપી છે. જે અંતર્ગત EDએ શુક્રવારે સાંજે રાહુલ ગાંધીની પૂછપરછ મોકૂફ રાખી છે. EDએ આ નિર્ણય રાહુલ ગાંધીના (Rahul Gandhi) પત્રના સંદર્ભમાં લીધો છે. જેમાં તેમણે 21મી જૂન સુધી તપાસ મોકૂફ રાખવાની વિનંતી કરી હતી. તે જ સમયે, EDની આ રાહત પછી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પુત્ર તરીકે સક્રિય થઈ ગયા છે. જે અંતર્ગત રાહુલ ગાંધીએ બિમાર માતા સોનિયા ગાંધીની સંભાળ લેવા માટે ગુરુવારની રાત હોસ્પિટલમાં વિતાવવાનો નિર્ણય લીધો છે. સોનિયા ગાંધી ગયા રવિવારથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અત્યાર સુધી હોસ્પિટલમાં સોનિયા ગાંધીની દેખભાળ તેમના પુત્રી પ્રિયંકા ગાંધી અને તેમની નર્સ દ્વારા કરવામાં આવી રહી હતી.

કોરોના સંક્રમણ બાદ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી 2 જૂને કોરોનાથી સંક્રમિત થયા હતા. તે જ સમયે 11 જૂને તેમનો બીજો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ રવિવાર 12 જૂને સોનિયા ગાંધીની તબિયત બગડતાં તેમને સરગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. સમાચાર એજન્સી એએનઆઈએ તેના સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું હતું કે સર ગંગારામ હોસ્પિટલના ENT વિભાગના ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

રાહુલને 21 તો સોનિયા ગાંધીને 23 જુને ઈડી સમક્ષ હાજર થવાનું છે

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પુછપરછ માટે બોલાવી રહી છે. EDએ સોમવારથી રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી છે. જે અંતર્ગત EDએ અત્યાર સુધી રાહુલ ગાંધીની ત્રણ રાઉન્ડ પૂછપરછ કરી છે. તે જ સમયે, શુક્રવારે પૂછપરછનો ચોથો રાઉન્ડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ બીમાર માતાને ટાંકીને શુક્રવારની પૂછપરછમાંથી રાહત માંગી હતી અને 21 જૂને પૂછપરછ માટે બોલાવવાની વિનંતી કરી હતી, જેને EDએ ગુરુવારે સાંજે સ્વીકારી લીધી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જે બાદ હવે તેમને 21 જૂને પૂછપરછ માટે હાજર થવાનું છે. તે જ સમયે, EDએ સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અગાઉ, તેઓ કોરોના સંક્રમિત હોવાને કારણે પૂછપરછમાં હાજર રહી શક્યા ન હતા. જે બાદ તેમને ફરીથી સમન પાઠવવામાં આવ્યું હતું.

Next Article