રામનવમીના અવસર પર દેશભરમાં હિંસક અથડામણો પર રાહુલ ગાંધીએ કહ્યું- નફરત અને હિંસા દેશને નબળો પાડી રહી છે

Rahul Gandhi: જણાવી દઈએ કે રામનવમીના અવસર પર દિલ્હીમાં જેએનયુ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી હતી.

રામનવમીના અવસર પર દેશભરમાં હિંસક અથડામણો પર રાહુલ ગાંધીએ કહ્યું- નફરત અને હિંસા દેશને નબળો પાડી રહી છે
Rahul Gandhi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 4:49 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામનવમીના (Ram Navami) અવસર પર દેશના અનેક સ્થળોએ થયેલી હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટ કરીને કહ્યું કે, નફરત, હિંસા અને બહિષ્કાર આપણા દેશને નબળો પાડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં વધુમાં કહ્યું કે ભાઈચારો, શાંતિ અને સૌહાર્દની ઈંટો પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ચાલો ન્યાયી, સર્વસમાવેશક ભારતને સુરક્ષિત કરવા માટે સાથે મળીને ઊભા રહીએ. જણાવી દઈએ કે રામનવમીના અવસર પર દિલ્હીમાં જેએનયુ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી હતી. મધ્યપ્રદેશના ખરગોનથી ઝારખંડના લોહરદગા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ હાવડા સુધી પણ સમાન અહેવાલો મળ્યા હતા.

જણાવી દઈએ કે રવિવારના રોજ રામનવમીના અવસર પર ચાર રાજ્યોમાં ધાર્મિક શોભાયાત્રાઓ દરમિયાન હિંસક અથડામણની જાણ થયા બાદ રાહુલ ગાંધીની ટિપ્પણી આવી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં કેટલાક પોલીસકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ખરગોન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની ધરતી પર તોફાનીઓ માટે કોઈ જગ્યા નથી. આ તોફાનીઓની ઓળખ થઈ ગઈ છે, તેમને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખરગોનના તોફાનીઓને સજા કરવામાં આવશે અને નુકસાની પણ વસૂલવામાં આવશે – સીએમ શિવરાજ

મુખ્યમંત્રી શિવરાજે વધુમાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં અમે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી અને રિકવરી ઓફ ડેમેજ બિલ પાસ કર્યું છે. ખરગોનના તોફાનીઓને માત્ર સજા જ નહીં પરંતુ તેમની પાસેથી નુકસાની પણ વસૂલવામાં આવશે. રાજ્ય સરકાર આ માટે ક્લેમ ટ્રિબ્યુનલની રચના કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગુજરાત-બંગાળમાં પણ હિંસક અથડામણ થઈ હતી

ગુજરાતના બે શહેરોમાં અથડામણમાં ઓછામાં ઓછા એકનું મોત નોંધાયું હતું. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પણ હિંસાના કેસ નોંધાયા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઝારખંડ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ‘રામભક્તો સુરક્ષિત નથી’. તેણે ટ્વિટર પર લખ્યું, હાવડા પોલીસ કમિશ્નરેટના જવાનોએ શિબપુરમાં રામનવમીની શોભાયાત્રામાં સામેલ લોકોને માર માર્યો.

આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાથી જીવ ગુમાવનારા પરિવારજનોને વળતર આપવાની સમયમર્યાદા નક્કી કરી, કેન્દ્રએ આપી જાણકારી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">