Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામનવમીના અવસર પર દેશભરમાં હિંસક અથડામણો પર રાહુલ ગાંધીએ કહ્યું- નફરત અને હિંસા દેશને નબળો પાડી રહી છે

Rahul Gandhi: જણાવી દઈએ કે રામનવમીના અવસર પર દિલ્હીમાં જેએનયુ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી હતી.

રામનવમીના અવસર પર દેશભરમાં હિંસક અથડામણો પર રાહુલ ગાંધીએ કહ્યું- નફરત અને હિંસા દેશને નબળો પાડી રહી છે
Rahul Gandhi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 4:49 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામનવમીના (Ram Navami) અવસર પર દેશના અનેક સ્થળોએ થયેલી હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટ કરીને કહ્યું કે, નફરત, હિંસા અને બહિષ્કાર આપણા દેશને નબળો પાડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં વધુમાં કહ્યું કે ભાઈચારો, શાંતિ અને સૌહાર્દની ઈંટો પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ચાલો ન્યાયી, સર્વસમાવેશક ભારતને સુરક્ષિત કરવા માટે સાથે મળીને ઊભા રહીએ. જણાવી દઈએ કે રામનવમીના અવસર પર દિલ્હીમાં જેએનયુ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી હિંસક અથડામણની ઘટનાઓ સામે આવી હતી. મધ્યપ્રદેશના ખરગોનથી ઝારખંડના લોહરદગા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ હાવડા સુધી પણ સમાન અહેવાલો મળ્યા હતા.

જણાવી દઈએ કે રવિવારના રોજ રામનવમીના અવસર પર ચાર રાજ્યોમાં ધાર્મિક શોભાયાત્રાઓ દરમિયાન હિંસક અથડામણની જાણ થયા બાદ રાહુલ ગાંધીની ટિપ્પણી આવી છે. મધ્યપ્રદેશના ખરગોનમાં કેટલાક પોલીસકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ખરગોન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની ધરતી પર તોફાનીઓ માટે કોઈ જગ્યા નથી. આ તોફાનીઓની ઓળખ થઈ ગઈ છે, તેમને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખરગોનના તોફાનીઓને સજા કરવામાં આવશે અને નુકસાની પણ વસૂલવામાં આવશે – સીએમ શિવરાજ

મુખ્યમંત્રી શિવરાજે વધુમાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં અમે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી અને રિકવરી ઓફ ડેમેજ બિલ પાસ કર્યું છે. ખરગોનના તોફાનીઓને માત્ર સજા જ નહીં પરંતુ તેમની પાસેથી નુકસાની પણ વસૂલવામાં આવશે. રાજ્ય સરકાર આ માટે ક્લેમ ટ્રિબ્યુનલની રચના કરી રહી છે.

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ

ગુજરાત-બંગાળમાં પણ હિંસક અથડામણ થઈ હતી

ગુજરાતના બે શહેરોમાં અથડામણમાં ઓછામાં ઓછા એકનું મોત નોંધાયું હતું. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં પણ હિંસાના કેસ નોંધાયા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઝારખંડ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ‘રામભક્તો સુરક્ષિત નથી’. તેણે ટ્વિટર પર લખ્યું, હાવડા પોલીસ કમિશ્નરેટના જવાનોએ શિબપુરમાં રામનવમીની શોભાયાત્રામાં સામેલ લોકોને માર માર્યો.

આ પણ વાંચો : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાથી જીવ ગુમાવનારા પરિવારજનોને વળતર આપવાની સમયમર્યાદા નક્કી કરી, કેન્દ્રએ આપી જાણકારી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">