Punjab Political Crises: પંજાબમાં કેપ્ટન પર ફરી સંકટનાં વાદળો, સિદ્ધુ ડેલિગેશન કરશે હાઈકમાન્ડ સાથે બેઠક, સત્તા પરિવર્તનની માગ

|

Aug 24, 2021 | 4:41 PM

પાંચ નેતાઓનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં નેતૃત્વ પરિવર્તન અને અન્ય તમામ મુદ્દાઓ અંગે કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે. દરમિયાન, નવજોત સિંહ સિદ્ધુએ શેરડીના ખેડૂતોના MSP ને લઈને ફરી એક વખત રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું

Punjab Political Crises: પંજાબમાં કેપ્ટન પર ફરી સંકટનાં વાદળો, સિદ્ધુ ડેલિગેશન કરશે હાઈકમાન્ડ સાથે બેઠક, સત્તા પરિવર્તનની માગ
Punjab Political Crises begins

Follow us on

Punjab Political Crises:  પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) વચ્ચેની ટકકર હજુ શાંત થઈ નથી કારણ કે રાજ્યમાં વધુ એક વિવાદે માથું ઉંચક્યું છે. મળતી માહિતી મુજબ, સિદ્ધુ કેમ્પ પંજાબ(Punjab)માં બળવા માટે મોટી તૈયારી કરી રહ્યું છે. સિદ્ધુ કેમ્પના કેટલાક નેતાઓએ કેપ્ટન અમરિંદર સિંહ પર વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

વાસ્તવમાં, સિદ્ધુ જૂથના 26 ધારાસભ્યો અને 4 કેબિનેટ મંત્રીઓએ કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા માટે રેલી કાી છે. સિદ્ધુ કેમ્પ દ્વારા નિયુક્ત 4 કેબિનેટ મંત્રીઓ અને એક ધારાસભ્યનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે. આ પ્રતિનિધિમંડળમાં કેબિનેટ મંત્રી સુખ સરકારિયા, ત્રિપત રાજેન્દ્ર સિંહ બાજવા, સુખજિંદર સિંહ રંધાવા, ચરણજીત સિંહ ચન્ની અને ધારાસભ્ય પરગટ સિંહ પાંચ નેતાઓ સામેલ છે, જે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને મળશે અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની બદલીની માંગ કરશે. પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે.

આ પ્રતિનિધિમંડળે સીધું જ કહ્યું, સીએમ અમરિંદર પંજાબ સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં અને 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. દલિતો અને અન્ય વર્ગોને આપેલા વચનો પણ અમરિંદર સિંહે પૂરા કર્યા નથી. આ પાંચ નેતાઓનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં નેતૃત્વ પરિવર્તન અને અન્ય તમામ મુદ્દાઓ અંગે કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે. દરમિયાન, નવજોત સિંહ સિદ્ધુએ શેરડીના ખેડૂતોના MSP ને લઈને ફરી એક વખત રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

શેરડીના ભાવ અંગે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે ખેડૂતોની બેઠક પહેલા સિદ્ધુએ મંગળવારે કહ્યું કે શેરડીના ખેડૂતોની માંગણી મુજબ શેરડીના ભાવમાં તાત્કાલિક વધારો કરવો જોઈએ. 2018 થી શેરડીના એમએસપીમાં વધારો થયો નથી મુખ્યમંત્રી મંગળવારે શેરડીના ભાવ અને બાકી ચૂકવણી અંગે ખેડૂત આગેવાનોને મળવાના છે. ખેડૂતોએ તેમની માંગણીઓ માટે મંગળવારે પાંચમા દિવસે પણ વિરોધ ચાલુ રાખ્યો હતો અને આ દેખાવોને કારણે રેલ સેવાઓ અને માર્ગ વાહનવ્યવહારને અસર થઈ હતી.

Next Article