AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો તેમની પાર્ટી પંજાબમાં સરકાર બનાવે છે, તો તેઓ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે. તેમણે કહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે.

Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે
Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 5:38 PM
Share

આવતા વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election) માટે તમામ પક્ષો સખત મહેનત કરી રહ્યા છે. સત્તાની ચાવી મેળવવા માટે નેતાઓ લોકોના દિલ જીતવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જો તેમની પાર્ટી પંજાબમાં સરકાર બનાવે છે, તો તેઓ 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપશે. તેમણે કહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે.

અરવિંદ કેજરીવાલે મોગામાં કહ્યું કે, જો અમે 2022માં પંજાબમાં સરકાર બનાવીશું, તો અમે રાજ્યની 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપીશું. જો એક પરિવારમાં 3 મહિલા સભ્યો હોય તો દરેકને 1,000 રૂપિયા મળશે. આ વિશ્વનો સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હશે. તેમણે આગળ કહ્યું, હું છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહ્યો છું કે આજકાલ પંજાબમાં નકલી કેજરીવાલ ફરે છે, હું જે પણ વચન આપું છું, તે બે દિવસ પછી બોલે છે. પરંતુ તે કરતા નથી કારણ કે તે નકલી છે.

પંજાબની બે દિવસીય મુલાકાતે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ હાલમાં પંજાબના બે દિવસીય પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો પહેલો દિવસ છે જેમાં તેમણે મોગાથી તેમના ‘મિશન પંજાબ’ની શરૂઆત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘મિશન પંજાબ’ અંતર્ગત તેઓ આગામી એક મહિનામાં રાજ્યના ઘણા સ્થળોની મુલાકાત લેશે અને આમ આદમી પાર્ટી દ્વારા લોકો માટે ઉઠાવવામાં આવનાર પગલાની જાહેરાત કરશે.

આ પહેલા પાર્ટી તરફથી કેજરીવાલના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ મહિલાઓ માટે મોટી જાહેરાતો કરશે. તેઓ તેમના મોગા કાર્યક્રમ બાદ લુધિયાણામાં પાર્ટીની બેઠકમાં ભાગ લેશે. મંગળવારે તેઓ પાર્ટીના અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. કેજરીવાલે ગયા મહિને પણ પંજાબની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મનસા અને ભટિંડા જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : Uttar Pradesh: સુગર મિલના ઉદ્ઘાટનમાં મંત્રી અજય મિશ્રાને મુખ્ય અતિથિ બનાવવા પર વિવાદ, રાકેશ ટિકૈતે આપી આંદોલનની ચેતવણી

આ પણ વાંચો : સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, PM નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">