કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું- ખેડૂતોએ સરકાર સાથે સંમત થવું જોઈએ, જાહેરાત કરી કે- ભાજપ અને સંયુક્ત અકાલી દળ સાથે લડશે ચૂંટણી

|

Dec 06, 2021 | 2:31 PM

કેપ્ટને કહ્યું કે, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા અભિયાન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ જિલ્લાઓ અને પેટા વિભાગોમાં પણ પાર્ટીનું સંગઠન શરૂ થશે. તેમણે ખેડૂતોના મુદ્દે પણ ખુલીને વાત કરી હતી.

કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું- ખેડૂતોએ સરકાર સાથે સંમત થવું જોઈએ, જાહેરાત કરી કે- ભાજપ અને સંયુક્ત અકાલી દળ સાથે લડશે ચૂંટણી
Captain Amarinder Singh

Follow us on

પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ (Punjab Lok Congress) કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) તેમની નવી પાર્ટી ઓફિસથી મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની ભાજપ સાથે વાતચીત થઈ છે અને ટૂંક સમયમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સાથે જ તેમણે કહ્યું કે, બેઠક વ્યવસ્થાને લઈને બંને પક્ષો સાથે ચર્ચા થઈ રહી છે. પોતાના કાર્યાલયમાંથી પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કેપ્ટને કહ્યું કે, પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા અભિયાન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ જિલ્લાઓ અને પેટા વિભાગોમાં પણ પાર્ટીનું સંગઠન શરૂ થશે. તેમણે ખેડૂતોના મુદ્દે પણ ખુલીને વાત કરી હતી.

ખેડૂતોને અપીલ – સરકારની વાત સ્વીકારો
કેપ્ટને કહ્યું, મેં ખેડૂતોને (Farmers) અપીલ કરી છે કે, કેન્દ્ર સરકારે ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓને (Farm Laws) રદ કરી દીધા છે. મેં ખેડૂતોના આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી પણ આપી. પરંતુ હરિયાણા અને અન્ય રાજ્યોએ કંઈ કર્યું નથી. કેન્દ્રીય મંત્રી તોમરે સંસદમાં MSP અંગે ગેરંટી આપી છે, તેને ખેડૂતોએ સ્વીકારવી જોઈએ.

અકાલી દળ સાથે મળીને સરકાર બનાવશે
કેપ્ટને કહ્યું કે સુખદેવ સિંહના અકાલી દળ સાથે મળીને સરકાર બનાવશે. અમે ભાજપ સાથે પણ વાતચીત કરી છે અને ટૂંક સમયમાં બેઠક વ્યવસ્થા પર વાતચીત થશે. અમે સાથે મળીને કોઈપણ પક્ષના મજબૂત ઉમેદવારને સમર્થન આપીશું. તેમણે નામ લીધા વિના સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે, પાકિસ્તાન (Pakistan) સાથે વેપાર ત્યારે જ થઈ શકે જ્યારે તે સરહદ પર આપણા જવાનોને મારવાનું બંધ કરે. કેપ્ટને કહ્યું કે પંજાબ લોક કોંગ્રેસ સુખદેવ સિંહના સંયુક્ત અકાલી દળ અને ભાજપ સાથે ગઠબંધન કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાકિસ્તાન સાથે વેપારના દરવાજા ખોલવા જોઈએ – નવજોત સિંહ સિદ્ધુ
તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન સાથે વેપાર શરૂ કરવાની હિમાયત કરી હતી. જે બાદ તેમની પાર્ટીના નેતા અને સાંસદ મનીષ તિવારીએ તેમના નિવેદન માટે તેમના પર નિશાન સાધ્યું હતું. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ નહીં કરે અને ડ્રોન દ્વારા આપણા વિસ્તારોમાં ડ્રગ્સ અને હથિયારો પહોચાડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વેપાર સંબંધિત કોઈપણ વાતચીત નિરર્થક અને અર્થહીન છે.

 

આ પણ વાંચો : શશિ થરૂરે સંસદ ટીવીનો શો છોડવાનો નિર્ણય લીધો, રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ નહીં કરે

આ પણ વાંચો : ભારતે રશિયા સાથે AK-203 એસોલ્ટ રાઈફલ ડીલ પર હસ્તાક્ષર કર્યા, ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા INSAS ની જગ્યા લેશે

Next Article